
ડ્રેસિંગ રુમ વિવાદની વાત કરીએ તો એક વેબસાઈટે ખુલાસો કર્યો કે, ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. મેલબોર્નમાં હાર બાદ ગૌતમ ગંભીર ખેલાડીઓ પર ગુસ્સે થયા હતા.

તેના નિશાન પર સીનિયર ખેલાડીઓ પણ હતા. રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે, કેટલાક ખેલાડીઓ ઈચ્છતા નથી કે પર્થમાં બુમરાહ કેપ્ટનશીપ કરે.

એક પ્રશ્નના જવાબમાં ગૌતમ ગંભીરે કહ્યું કે,ફાસ્ટ બોલર આકાશદીપ પાંચમી ટેસ્ટમાં રમી શકશે નહીં. તેણે કહ્યું, આકાશ પીઠની સમસ્યાને કારણે બહાર છે. આશા છે કે અમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળ રહીશું. આ સિરીઝમાં એવી ચર્ચા થવી જોઈએ કે, આપણે કઈ રીતે સીરિઝ રમ્યા છીએ.