સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રુમ વિવાદ પર નિવેદન આપ્યું છે. તેમણે ગુરુવારના રોજ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોચ અને ખેલાડીઓ વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રુમમાં જ રહેવી જોઈએ.ડ્રેસિંગ રુમમાં જ્યા સુધી ઈમાનદાર લોકો છે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી મેચ શુક્રવારના રોજ સિડનીમાં રમાશે. . ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-2થી પાછળ છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ટીમ ઈન્ડિયાને સિડની ટેસ્ટ જીતવી પડશે.
તેમને શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સીરિઝના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે. જો શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને 2-0 કે 1-0થી હરાવી દે છે. તો ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવાનો રસ્તો સાફ થઈ જશે.
ડ્રેસિંગ રુમ વિવાદની વાત કરીએ તો એક વેબસાઈટે ખુલાસો કર્યો કે, ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. મેલબોર્નમાં હાર બાદ ગૌતમ ગંભીર ખેલાડીઓ પર ગુસ્સે થયા હતા.
તેના નિશાન પર સીનિયર ખેલાડીઓ પણ હતા. રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે, કેટલાક ખેલાડીઓ ઈચ્છતા નથી કે પર્થમાં બુમરાહ કેપ્ટનશીપ કરે.
એક પ્રશ્નના જવાબમાં ગૌતમ ગંભીરે કહ્યું કે,ફાસ્ટ બોલર આકાશદીપ પાંચમી ટેસ્ટમાં રમી શકશે નહીં. તેણે કહ્યું, આકાશ પીઠની સમસ્યાને કારણે બહાર છે. આશા છે કે અમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળ રહીશું. આ સિરીઝમાં એવી ચર્ચા થવી જોઈએ કે, આપણે કઈ રીતે સીરિઝ રમ્યા છીએ.