Rohit Sharma: લોર્ડ્સથી પર્થ સુધી… આ 5 મેદાન પર સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે રોહિત શર્મા

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધીમાં પોતાની ODI કારકિર્દીમાં 34 સદી ફટકારી છે. આમાંથી પાંચ સદી એવા મેદાનો પર આવી છે જ્યાં રોહિત શર્મા સિવાય અન્ય કોઈ ભારતીય ખેલાડીએ ODI સદી ફટકારી નથી. ચાલો જાણીએ આ મેદાનો કયા છે.

| Updated on: Jul 25, 2026 | 5:32 PM
1 / 6
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને દિગ્ગજ ઓપનર રોહિત શર્માને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે. ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકાર્યા સિવાય પણ રોહિત શર્માએ અનેક રેકોર્ડ બનાવ્યા છે જે વિશ્વના કોઈપણ બેટ્સમેન માટે તોડવા મુશ્કેલ છે. શું તમે જાણો છો કે વિશ્વમાં પાંચ એવા ક્રિકેટ સ્ટેડિયમ છે જ્યાં ODI માં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે રોહિત શર્મા.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને દિગ્ગજ ઓપનર રોહિત શર્માને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે. ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકાર્યા સિવાય પણ રોહિત શર્માએ અનેક રેકોર્ડ બનાવ્યા છે જે વિશ્વના કોઈપણ બેટ્સમેન માટે તોડવા મુશ્કેલ છે. શું તમે જાણો છો કે વિશ્વમાં પાંચ એવા ક્રિકેટ સ્ટેડિયમ છે જ્યાં ODI માં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે રોહિત શર્મા.

2 / 6
પર્થનું WACA ગ્રાઉન્ડ: ઓસ્ટ્રેલિયાનું પર્થ મેદાન બાઉન્સ  અને ફાસ્ટ પિચ માટે જાણીતું છે. ભારતે અહીં કુલ 14 વનડે રમી છે, પરંતુ ફક્ત એક જ ભારતીય ખેલાડી અહીં સદી શક્યો છે. રોહિત શર્માએ 2016માં આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 163 બોલમાં અણનમ 171 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. જોકે, ભારતીય ટીમ તે મેચ હારી ગઈ હતી.

પર્થનું WACA ગ્રાઉન્ડ: ઓસ્ટ્રેલિયાનું પર્થ મેદાન બાઉન્સ અને ફાસ્ટ પિચ માટે જાણીતું છે. ભારતે અહીં કુલ 14 વનડે રમી છે, પરંતુ ફક્ત એક જ ભારતીય ખેલાડી અહીં સદી શક્યો છે. રોહિત શર્માએ 2016માં આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 163 બોલમાં અણનમ 171 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. જોકે, ભારતીય ટીમ તે મેચ હારી ગઈ હતી.

3 / 6
ઈંગ્લેન્ડનું ઐતિહાસિક લોર્ડ્સ સ્ટેડિયમ: ભારતે ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં 10 વનડે મેચ રમી છે. સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ આ મેદાન પર હજુ સુધી એક પણ વનડે સદી ફટકારી નથી. જોકે, રોહિત શર્માએ તાજેતરમાં જ આ સિદ્ધિ હાંસલ કરી છે. ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની ત્રીજી મેચમાં રોહિત શર્માએ 110 બોલમાં 138 રન બનાવીને ઇતિહાસ રચ્યો. તે લોર્ડ્સમાં ODI સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો.

ઈંગ્લેન્ડનું ઐતિહાસિક લોર્ડ્સ સ્ટેડિયમ: ભારતે ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં 10 વનડે મેચ રમી છે. સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ આ મેદાન પર હજુ સુધી એક પણ વનડે સદી ફટકારી નથી. જોકે, રોહિત શર્માએ તાજેતરમાં જ આ સિદ્ધિ હાંસલ કરી છે. ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની ત્રીજી મેચમાં રોહિત શર્માએ 110 બોલમાં 138 રન બનાવીને ઇતિહાસ રચ્યો. તે લોર્ડ્સમાં ODI સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો.

4 / 6
સેન્ટ જ્યોર્જ પાર્ક, દક્ષિણ આફ્રિકા: દક્ષિણ આફ્રિકાની મુશ્કેલ પિચો પર રન બનાવવા એ કોઈપણ એશિયન બેટ્સમેન માટે એક અગ્નિપરીક્ષા છે. ભારતે આ મેદાન પર સાત વનડે રમી છે. 2018 ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન રોહિત શર્માએ 126 બોલમાં 115 રન બનાવીને ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો. આ મેદાન પર કોઈપણ ભારતીય દ્વારા આ એકમાત્ર વનડે સદી છે.

સેન્ટ જ્યોર્જ પાર્ક, દક્ષિણ આફ્રિકા: દક્ષિણ આફ્રિકાની મુશ્કેલ પિચો પર રન બનાવવા એ કોઈપણ એશિયન બેટ્સમેન માટે એક અગ્નિપરીક્ષા છે. ભારતે આ મેદાન પર સાત વનડે રમી છે. 2018 ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન રોહિત શર્માએ 126 બોલમાં 115 રન બનાવીને ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો. આ મેદાન પર કોઈપણ ભારતીય દ્વારા આ એકમાત્ર વનડે સદી છે.

5 / 6
ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમ, ઈંગ્લેન્ડ: ઈંગ્લેન્ડના ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમને બેટ્સમેનો માટે અનુકૂળ મેદાન માનવામાં આવે છે, પરંતુ ભારતે રમેલી છ વનડે મેચમાં ફક્ત એક જ બેટ્સમેને સદી ફટકારી છે. 2018 માં, રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે માત્ર 114 બોલમાં અણનમ 137 રન બનાવ્યા હતા, જેના કારણે ભારતે તે મેચ 8 વિકેટથી જીતી હતી.

ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમ, ઈંગ્લેન્ડ: ઈંગ્લેન્ડના ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમને બેટ્સમેનો માટે અનુકૂળ મેદાન માનવામાં આવે છે, પરંતુ ભારતે રમેલી છ વનડે મેચમાં ફક્ત એક જ બેટ્સમેને સદી ફટકારી છે. 2018 માં, રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે માત્ર 114 બોલમાં અણનમ 137 રન બનાવ્યા હતા, જેના કારણે ભારતે તે મેચ 8 વિકેટથી જીતી હતી.

6 / 6
ઈંગ્લેન્ડમાં રોઝ બાઉલ સ્ટેડિયમ: ભારતીય ટીમે અત્યાર સુધીમાં આ સાઉથમ્પ્ટનના આ મેદાન પર પાંચ વનડે મેચ રમી છે. પરંતુ ફક્ત એક જ વાર કોઈ ભારતીય સદી ફટકારી શક્યો છે. 2019 ના વર્લ્ડ કપ દરમિયાન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સંયમ અને આક્રમકતા બંને દર્શાવી અને 144 બોલમાં અણનમ 122 રન બનાવ્યા. આનાથી ભારતને એક મહત્વપૂર્ણ મેચ જીતવામાં મદદ મળી. (PC:PTI/X)

ઈંગ્લેન્ડમાં રોઝ બાઉલ સ્ટેડિયમ: ભારતીય ટીમે અત્યાર સુધીમાં આ સાઉથમ્પ્ટનના આ મેદાન પર પાંચ વનડે મેચ રમી છે. પરંતુ ફક્ત એક જ વાર કોઈ ભારતીય સદી ફટકારી શક્યો છે. 2019 ના વર્લ્ડ કપ દરમિયાન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સંયમ અને આક્રમકતા બંને દર્શાવી અને 144 બોલમાં અણનમ 122 રન બનાવ્યા. આનાથી ભારતને એક મહત્વપૂર્ણ મેચ જીતવામાં મદદ મળી. (PC:PTI/X)

Follow Us