
ક્રિકેટરોના મેદાન પર ચેમ્પિયન કેટલાક સ્ટાર ભારતીય ક્રિકેટરો લગ્ન જીવનની પિચ પર જીવનસાથી સાથે ભાગીદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં કેટલાકે બીજા લગ્ન કરી નવો અધ્યાય શરુ કર્યો, તો એક પૂર્વ ક્રિકેટર બે વાર લગ્નજીવનમાં નિષ્ફળ રહ્યા.

ભારતીય સ્પિનર રાહુલ ચહરે તાજેતરમાં પત્ની ઈશાની સાથે છૂટાછેડાની જાહેરાત કરી. 9 માર્ચ 2022ના રોજ ગોવામાં થયેલા તેમના લગ્ન ચાર વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ તૂટી ગયા. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે સાત મેચ રમી ચૂકેલા ચહરે નિવેદન દ્વારા છૂટાછેડાની પુષ્ટિ કરી.

યુઝવેન્દ્ર ચહલે 2020 માં ડાન્સર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષથી બંને અલગ રહેતા હતા અને અંતે સત્તાવાર રીતે સંબંધ સમાપ્ત કર્યો. અહેવાલો મુજબ, છૂટાછેડા કરાર હેઠળ ચહલ દ્વારા ભરણપોષણ ચૂકવવામાં આવ્યું છે.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 2024 માં તેમના અલગ થવાની પુષ્ટિ કરી. 2020 માં લોકડાઉન દરમિયાન થયેલા તેમના લગ્ન પછી 2023 માં ભવ્ય સમારોહ યોજાયો હતો. તેમ છતાં વ્યક્તિગત મતભેદોને કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

શિખર ધવને 2012 માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. 2021 માં બંને અલગ થયા અને 2023 માં અદાલતે સત્તાવાર છૂટાછેડા મંજૂર કર્યા. અહેવાલો અનુસાર, સંબંધોમાં ઊભા થયેલા મતભેદો અને માનસિક તણાવ તેમના વિભાજનનું કારણ બન્યા.

દિનેશ કાર્તિકે 2007 માં નિકિતા વણજારા સાથે લગ્ન કર્યા, પરંતુ 2012 માં છૂટાછેડા થયા. આ ઘટના બાદ તેના જીવનમાં મોટો આંચકો લાગ્યો. બાદમાં તેણે સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી.

મોહમ્મદ અઝહરુદ્દીને 1987 માં નૌરીન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 1996 માં છૂટાછેડા લીધા. બાદમાં તેણે અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા, જે 2010 માં સમાપ્ત થયા. મોહમ્મદ અઝહરુદ્દીન બે વાર છૂટાછેડા લેતા ચર્ચામાં રહ્યા.

રવિ શાસ્ત્રીએ 1990 માં રીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. 22 વર્ષ પછી 2012 માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. તેમના છૂટાછેડાનું ચોક્કસ કારણ જાહેર થયું ન હતું.

વિનોદ કાંબલીએ પોતાની પહેલી પત્ની નોએલા લુઈસ સાથે છૂટાછેડા લીધા હતા. બાદમાં તેણે એન્ડ્રીયા હેવિટ સાથે બીજા લગ્ન કર્યા. 2023 માં ફરીથી અલગ થવાના સમાચાર આવ્યા, પરંતુ બંનેએ અરજી પાછી ખેંચી સંબંધને તક આપી.

જવાગલ શ્રીનાથે 2007 માં પોતાની પહેલી પત્ની જ્યોત્સ્ના સાથે છૂટાછેડા લીધા. બાદમાં તેણે પત્રકાર માધવી પત્રાવલી સાથે લગ્ન કરીને જીવનમાં નવો અધ્યાય શરૂ કર્યો.

મનોજ પ્રભાકરે 2013 માં સંધ્યા સાથેના પોતાના લગ્નનો અંત લાવ્યો. તેના પર લગાવાયેલા આરોપો બાદ સંબંધ તૂટી ગયો. બાદમાં તેણે અભિનેત્રી ફરહીન સાથે લગ્ન કરી લીધા.

સફળતા અને પ્રસિદ્ધિ હોવા છતાં વ્યક્તિગત જીવનમાં પડકારો આવતાં જ હોય છે. કેટલાક ખેલાડીઓએ ફરીથી જીવનસાથી શોધી લીધા, જ્યારે કેટલાકે એકલતા સ્વીકારી નવી શરૂઆત કરી. (PC: PTI/X)
Published On - 5:59 pm, Sat, 21 February 26