
જસપ્રીત બુમરાહ છેલ્લા પાંચ વર્ષમાં ઈજાઓના કારણે ઘણી વખત ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યો છે. તેની ગેરહાજરીનો સીધો અસર ભારતીય બોલિંગ આક્રમણ પર જોવા મળ્યો છે. બુમરાહની ફિટનેસ ટીમ માટે હંમેશા ચિંતાનો વિષય રહી છે.

2022 એશિયા કપમાં બુમરાહ કમરના નીચેના ભાગમાં ખેંચાણને કારણે રમી શક્યો નહોતો. ત્યારબાદ તેની સમસ્યા ગંભીર બની અને તે પીઠના સ્ટ્રેસ ફ્રેક્ચરનો શિકાર બન્યો હતો. આ કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.

ઈજાના કારણે બુમરાહે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે શ્રેણીઓ પણ ગુમાવી હતી. તે દરમિયાન તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન પર ધ્યાન આપ્યું હતું.

2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પણ ભારતીય ટીમને બુમરાહની ખોટ પડી હતી. પીઠની સર્જરી અને રિકવરી પ્રક્રિયાને કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની આ મહત્વપૂર્ણ મેચમાં ભાગ લઈ શક્યો નહોતો.

આ ઉપરાંત 2025માં વર્કલોડ મેનેજમેન્ટ અને ઈજાના જોખમને ધ્યાનમાં રાખીને તેણે કેટલીક મેચોમાંથી વિરામ લીધો હતો. હવે 2026માં ડાબા ઘૂંટણની સમસ્યાને કારણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થયો છે. બુમરાહની ફિટનેસ હવે ટીમ ઈન્ડિયા માટે મોટો મુદ્દો બની ગઈ છે. (PC:PTI/X)