
ભારત અને શ્રીલંકા વચ્ચેની ગાલે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને 165 રનની જીત મેળવી. ભારતે શ્રીલંકાને 372 રનનો પડકાર આપ્યો હતો, પરંતુ યજમાન ટીમ લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી.

શ્રીલંકાની ટીમ 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને સોનલ દિનુષાએ અડધી સદી ફટકારી, પરંતુ તેમની ઇનિંગ્સ ટીમને જીત અપાવવા માટે પૂરતી રહી નહીં.

ભારતની જીતમાં માનવ સુથાર અને દેવદત્ત પડિકલ હીરો રહ્યા. સુથારે બંને ઇનિંગ્સમાં કુલ 10 વિકેટ ઝડપી, જ્યારે પડિકલે શાનદાર બેટિંગ કરતાં કુલ 211 રન બનાવ્યા હતા. તેના પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.

પરંતુ મેચના પરિણામ સાથે જોડાયેલી સૌથી રસપ્રદ વાત જીત પછી સામે આવી. ભારતે મેચ પૂર્ણ કરીને જીત નોંધાવ્યાના તરત બાદ ગાલેમાં ભારે વરસાદ શરૂ થયો હતો.

જો આ વરસાદ માત્ર બે મિનિટ પહેલાં શરૂ થયો હોત, તો મેચ રોકાઈ શકતી હતી અને ભારતને જીત મેળવવામાં મુશ્કેલી પડી શકતી હતી.

જોકે, વરસાદ ભારતની જીત બાદ આવ્યો અને તેની અસર માત્ર મેચ પછીના પ્રેઝન્ટેશન પર પડી. (PC:AI/X/BCCI)
Published On - 4:06 pm, Wed, 19 August 26