
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ ગાલે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં યોજાશે.

ટીમ ઈન્ડિયા નવ વર્ષ બાદ શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ મેચ રમવા પરત ફરી છે. આ કારણે બંને દેશોના ક્રિકેટ ચાહકોમાં શ્રેણીને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચાહકોનો ઉત્સાહ વધારવા માટે શ્રીલંકા ક્રિકેટ (SLC)એ બંને ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમમાં પ્રવેશ મફત રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે દર્શકોએ મેચ જોવા માટે કોઈ ટિકિટ ખરીદવી પડશે નહીં.

SLCનો આ નિર્ણય ટેસ્ટ ક્રિકેટમાં દર્શકોની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બંને ટેસ્ટમાં વધુમાં વધુ દર્શકો હાજર રહે તેવો બોર્ડનો પ્રયાસ છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. ભારત હાલમાં 48.15 ટકા પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે, જ્યારે શ્રીલંકા 41.67 ટકા સાથે છઠ્ઠા સ્થાને છે. (PC:PTI/X)
Published On - 6:58 pm, Fri, 7 August 26