Breaking News: વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં રમવા માટે ફિટ જાહેર, આ તારીખે મેદાનમાં કરશે વાપસી!

ભારતીય ક્રિકેટ ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડે મેચમાં તેની વાપસીની શક્યતા છે.

| Updated on: Jul 02, 2026 | 9:15 PM
1 / 5
વિરાટ કોહલી જાન્યુઆરી 2026 થી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો નથી. તે છેલ્લે ન્યૂઝીલેન્ડ સામેની ODI માં જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાની આગામી ODI શ્રેણી ઈંગ્લેન્ડ સામે છે, જે 14 જુલાઈથી શરૂ થશે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ ફિટનેસ ટેસ્ટ પાસ કરી ચૂક્યો છે અને તેને મેદાનમાં ઉતરવાની મંજૂરી મળી ગઈ છે.

વિરાટ કોહલી જાન્યુઆરી 2026 થી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો નથી. તે છેલ્લે ન્યૂઝીલેન્ડ સામેની ODI માં જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાની આગામી ODI શ્રેણી ઈંગ્લેન્ડ સામે છે, જે 14 જુલાઈથી શરૂ થશે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ ફિટનેસ ટેસ્ટ પાસ કરી ચૂક્યો છે અને તેને મેદાનમાં ઉતરવાની મંજૂરી મળી ગઈ છે.

2 / 5
IPL 2026 ની અંતિમ મેચમાં વિરાટ કોહલીને ઈજા થઈ હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાં રમી શક્યો ન હતો. BCCI એ તેને ઈંગ્લેન્ડ ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે પ્લેઈંગ ઈંલેવનમાં તેનું સ્થાન તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.

IPL 2026 ની અંતિમ મેચમાં વિરાટ કોહલીને ઈજા થઈ હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાં રમી શક્યો ન હતો. BCCI એ તેને ઈંગ્લેન્ડ ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે પ્લેઈંગ ઈંલેવનમાં તેનું સ્થાન તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.

3 / 5
અહેવાલો અનુસાર, વિરાટ કોહલી સંપૂર્ણપણે ફિટ છે અને તેને ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર જાહેર કરવામાં આવ્યો છે. તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે અને ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં રમવા માટે તેને મંજૂરી મળી ગઈ છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન તાજેતરમાં ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગર સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો વાયરલ થયો હતો.

અહેવાલો અનુસાર, વિરાટ કોહલી સંપૂર્ણપણે ફિટ છે અને તેને ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર જાહેર કરવામાં આવ્યો છે. તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે અને ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં રમવા માટે તેને મંજૂરી મળી ગઈ છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન તાજેતરમાં ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગર સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો વાયરલ થયો હતો.

4 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણી 14 જુલાઈથી શરૂ થશે. પહેલી વનડે 14 જુલાઈએ બર્મિંગહામમાં, બીજી વનડે 16 જુલાઈએ કાર્ડિફમાં અને શ્રેણીની અંતિમ મેચ 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. કોહલી 14 જુલાઈએ બર્મિંગહામમાં મેદાનમાં વાપસી કરશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણી 14 જુલાઈથી શરૂ થશે. પહેલી વનડે 14 જુલાઈએ બર્મિંગહામમાં, બીજી વનડે 16 જુલાઈએ કાર્ડિફમાં અને શ્રેણીની અંતિમ મેચ 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. કોહલી 14 જુલાઈએ બર્મિંગહામમાં મેદાનમાં વાપસી કરશે.

5 / 5
ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણી માટે ભારતની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી , શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યાંશ શેડગે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ , કુલદીપ યાદવ, ગુરનુર બ્રાર, અર્શદીપ સિંહ, હર્ષિત કૃષ્ણા, હર્ષિત રાણા. (PC:PTI/X)

ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણી માટે ભારતની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી , શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યાંશ શેડગે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ , કુલદીપ યાદવ, ગુરનુર બ્રાર, અર્શદીપ સિંહ, હર્ષિત કૃષ્ણા, હર્ષિત રાણા. (PC:PTI/X)

Published On - 9:15 pm, Thu, 2 July 26

Follow Us