Breaking News: સંજુ સેમસનના સમર્થનમાં આવ્યો ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ, જલ્દી વાપસીની વ્યક્ત કરી આશા

પહેલા ભારત-ઈંગ્લેન્ડ T20 સિરીઝમાં એક ઈનિંગ બાદ બીજી જ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ, અને હવે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમમાંથી જ બહાર કરી દેવામાં આવતા સંજુ સેમસનના ફેન્સ ખૂબ જ નારાજ છે. ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર સંજુનું વર્લ્ડ કપ બાદ ખરાબ ફોર્મ ચાલી રહ્યું છે, જેના કારણે તેની જગ્યાએ અન્ય ખેલાડીઓને તક મળી રહી છે. આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટસમેન સંજુના સમર્થનમાં આવ્યો છે.

| Updated on: Jul 07, 2026 | 4:59 PM
1 / 5
સંજુ સેમસનને ઈંગ્લેન્ડ પ્રવાસમાં એક મેચ બાદ જ પ્લેઈંગ 11 માંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો અને હવે ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેમસનને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ અટકળો ચાલી રહી છે કે તેને બહાર કરવામાં આવ્યો છે.

સંજુ સેમસનને ઈંગ્લેન્ડ પ્રવાસમાં એક મેચ બાદ જ પ્લેઈંગ 11 માંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો અને હવે ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેમસનને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ અટકળો ચાલી રહી છે કે તેને બહાર કરવામાં આવ્યો છે.

2 / 5
ભારતની T20 વર્લ્ડ કપ 2026 ની જીતના હીરો સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવાથી વિવાદ ઉભો થયો છે. BCCI અને પસંદગીકારોના નિર્ણય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કારણ કે કોઈએ ખુલ્લેઆમ સમજાવ્યું નથી કે સંજુને કેમ ડ્રોપ કરવામાં આવ્યો છે.

ભારતની T20 વર્લ્ડ કપ 2026 ની જીતના હીરો સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવાથી વિવાદ ઉભો થયો છે. BCCI અને પસંદગીકારોના નિર્ણય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કારણ કે કોઈએ ખુલ્લેઆમ સમજાવ્યું નથી કે સંજુને કેમ ડ્રોપ કરવામાં આવ્યો છે.

3 / 5
ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર થયા પહેલા સંજુ સેમસનને ઈંગ્લેન્ડ સામેની બીજી T20I માટે પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. સેમસનના સમર્થનમાં અશ્વિને પહેલાથી જ BCCI પર નિશાન સાધ્યું હતું. હવે, અજિંક્ય રહાણે સંજુના સમર્થમમાં આવ્યો છે.

ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર થયા પહેલા સંજુ સેમસનને ઈંગ્લેન્ડ સામેની બીજી T20I માટે પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. સેમસનના સમર્થનમાં અશ્વિને પહેલાથી જ BCCI પર નિશાન સાધ્યું હતું. હવે, અજિંક્ય રહાણે સંજુના સમર્થમમાં આવ્યો છે.

4 / 5
અજિંક્ય રહાણેએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સંજુ સેમસન માટે એક સપોર્ટ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે સંજુના ટીમમાં જલ્દી કમબેકની આશા વ્યક્ત કરી હતી.

અજિંક્ય રહાણેએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સંજુ સેમસન માટે એક સપોર્ટ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે સંજુના ટીમમાં જલ્દી કમબેકની આશા વ્યક્ત કરી હતી.

5 / 5
રહાણેએ લખ્યું કે તેને આશા છે કે મેનેજમેન્ટે સેમસન સાથે શું થયું તે અંગે વાત કરી હશે. T20 વર્લ્ડ કપનો હીરો ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર છે તે થોડું વિચિત્ર છે. પરંતુ મને આશા છે કે તે જલ્દી પાછો ફરશે. (PC: PTI)

રહાણેએ લખ્યું કે તેને આશા છે કે મેનેજમેન્ટે સેમસન સાથે શું થયું તે અંગે વાત કરી હશે. T20 વર્લ્ડ કપનો હીરો ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર છે તે થોડું વિચિત્ર છે. પરંતુ મને આશા છે કે તે જલ્દી પાછો ફરશે. (PC: PTI)

Follow Us