Breaking News: રોહિત શર્માના 3 કેચ કેમ છે ખાસ? 13 વર્ષ બાદ ભારતીય ક્રિકેટમાં જોવા મળ્યો આ કમાલ

અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીની અંતિમ મેચમાં રોહિત શર્માએ ત્રણ કેચ પકડ્યા હતા. આ સાથે જ ફિલ્ડર તરીકે રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતીય ક્રિકેટમાં 13 વર્ષ બાદ આવો કમાલ થયો હતો.

| Updated on: Jun 20, 2026 | 5:39 PM
1 / 5
ભારત સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લેતા, અફઘાનિસ્તાને પ્રથમ 10 ઓવરમાં ચાર મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી.

ભારત સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લેતા, અફઘાનિસ્તાને પ્રથમ 10 ઓવરમાં ચાર મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી.

2 / 5
પહેલી ચારેય વિકેટ ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી હતી, જેમાં પહેલી ત્રણ વિકેટમાં રોહિત શર્માનું મોટું યોગદાન હતું. સ્લિપમાં જોરદાર ત્રણ કેચ કરી રોહિત શર્માએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

પહેલી ચારેય વિકેટ ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી હતી, જેમાં પહેલી ત્રણ વિકેટમાં રોહિત શર્માનું મોટું યોગદાન હતું. સ્લિપમાં જોરદાર ત્રણ કેચ કરી રોહિત શર્માએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

3 / 5
મેચની શરૂઆતથી જ અફઘાનિસ્તાનના બેટ્સમેન પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગ સામે લાચાર દેખાતા હતા. તેની પહેલી ત્રણ વિકેટ ખાસ હતી, કારણ કે રોહિત શર્માએ ત્રણેય વખત સ્લિપમાં કોઈ ભૂલ કરી ન હતી, અને એક પછી એક ત્રણ શાનદાર કેચ ઝડપી લીધા હતા. રોહિતની સચેત ફિલ્ડિંગને કારણે અફઘાનિસ્તાને તેની પહેલી ત્રણ વિકેટ 28 રનમાં ગુમાવી દીધી હતી.

મેચની શરૂઆતથી જ અફઘાનિસ્તાનના બેટ્સમેન પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગ સામે લાચાર દેખાતા હતા. તેની પહેલી ત્રણ વિકેટ ખાસ હતી, કારણ કે રોહિત શર્માએ ત્રણેય વખત સ્લિપમાં કોઈ ભૂલ કરી ન હતી, અને એક પછી એક ત્રણ શાનદાર કેચ ઝડપી લીધા હતા. રોહિતની સચેત ફિલ્ડિંગને કારણે અફઘાનિસ્તાને તેની પહેલી ત્રણ વિકેટ 28 રનમાં ગુમાવી દીધી હતી.

4 / 5
એક જ ફિલ્ડર દ્વારા વનડે ઈનિંગમાં પહેલા ત્રણ બેટ્સમેનોને આઉટ કરવાનો આ રેકોર્ડ એકદમ અનોખો છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આ કમાલ 13 વર્ષ બાદ થયો હતો. રોહિત શર્મા પહેલા સુરેશ રૈનાએ 2013 માં શ્રીલંકા સામે આ સિદ્ધિ મેળવી હતી. ત્યારે રૈના  પ્રથમ ત્રણ વિકેટોમાં સામેલ હતો અને ત્રણ કેચ પકડ્યા હતા.

એક જ ફિલ્ડર દ્વારા વનડે ઈનિંગમાં પહેલા ત્રણ બેટ્સમેનોને આઉટ કરવાનો આ રેકોર્ડ એકદમ અનોખો છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આ કમાલ 13 વર્ષ બાદ થયો હતો. રોહિત શર્મા પહેલા સુરેશ રૈનાએ 2013 માં શ્રીલંકા સામે આ સિદ્ધિ મેળવી હતી. ત્યારે રૈના પ્રથમ ત્રણ વિકેટોમાં સામેલ હતો અને ત્રણ કેચ પકડ્યા હતા.

5 / 5
રોહિત શર્મા અને સુરેશ રૈના ઉપરાંત, સૌરવ ગાંગુલી અને મનોજ તિવારી પણ એવા ફિલ્ડરોની યાદીમાં સામેલ છે જેમણે ODI માં કોઈપણ ટીમ સામે પ્રથમ ત્રણ વિકેટમાં કેચ લીધી છે. (PC: PTI)

રોહિત શર્મા અને સુરેશ રૈના ઉપરાંત, સૌરવ ગાંગુલી અને મનોજ તિવારી પણ એવા ફિલ્ડરોની યાદીમાં સામેલ છે જેમણે ODI માં કોઈપણ ટીમ સામે પ્રથમ ત્રણ વિકેટમાં કેચ લીધી છે. (PC: PTI)

Published On - 5:29 pm, Sat, 20 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.