
42 વર્ષીય અભિષેક નાયર પોતાની આધુનિક અને માનસિક તાલીમ પર આધારિત કોચિંગ પદ્ધતિ માટે જાણીતો છે. તાજેતરમાં તેણે ભારતીય ક્રિકેટ ટીમના સહાયક કોચ તરીકે કામ કર્યું હતું અને રોહિત શર્મા, કેએલ રાહુલ તથા શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું.

WPL 2025માં તે UP વોરિયર્સનો હેડ કોચ પણ રહ્યો હતો, જોકે ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેમ છતાં, નાયરની વ્યૂહાત્મક સમજ અને ખેલાડીઓ સાથેનો સારો સમન્વય KKR માં નવી ઉર્જા લાવશે તેવી આશા છે.

IPL 2025માં KKRનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, કારણ કે ટીમ ફક્ત પાંચ જીત સાથે આઠમા સ્થાને રહી હતી. IPL 2024નું ટાઈટલ જીત્યા બાદ ટીમ પાસેથી ઘણી અપેક્ષા હતી, પરંતુ તેઓ પ્લેઓફ સુધી પણ પહોંચી શક્યા નહોતાં.

હવે અભિષેક નાયરની નિમણૂક સાથે KKR મેનેજમેન્ટને આશા છે કે નવી કોચિંગ ટીમ સાથે કોલકાતા ફરી એકવાર ચેમ્પિયન બનવા માટે મજબૂત રીતે મેદાનમાં ઉતરશે. (PC : X / PTI)