
ટીમ ઈન્ડિયા ક્લાસ બેટ્સમેન અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની જાહેરાત બાદ રહાણેને સૌથી પહેલા સચિન તેંડુલકરનો ફોન આવ્યો હતો. સચિને તેની નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી હતી.

રહાણેએ જણાવ્યું કે સચિનને લાગતું હતું કે તે હજુ લાંબા સમય સુધી ક્રિકેટ રમી શકે છે. સચિનની આ વાતથી રહાણે પણ ભાવુક થયો હતો.

રહાણેએ સચિનને કહ્યું કે તે કોઈ અફસોસ વિના નિવૃત્તિ લઈ રહ્યો છે. તે પોતાની કારકિર્દીને બિનજરૂરી રીતે લંબાવવા માંગતો નથી.

રહાણેએ જણાવ્યું કે ઇરફાન પઠાણે તેને ફોન કર્યો હતો. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને ચેતેશ્વર પૂજારાએ મેસેજ મોકલ્યા હતા.

રહાણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમ ઈન્ડિયા માટે અનેક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી ચૂક્યા છે. હવે તેમણે ક્રિકેટને અલવિદા કહી પોતાની કારકિર્દીનો અંત લાવ્યો છે. (PC:PTI/X)