
દૈનિક કસરત કરો : દરરોજ ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ યોગ અથવા ધ્યાન કરવાથી બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે. નિયમિત કસરત હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે.

સ્વસ્થ આહાર અપનાવો : આધુનિક જીવનશૈલી અને અયોગ્ય આહારના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધતી જાય છે. આખા અનાજ, તાજાં ફળો અને શાકભાજીનો ઉપયોગ વધારવો જોઈએ. ઓછી ચરબી અને ઓછા કોલેસ્ટ્રોલવાળું ખોરાક પસંદ કરો. મીઠું અને સોડિયમનો ઉપયોગ ઘટાડો. દૈનિક આહારમાં ઓછી માત્રામાં સોડિયમ રાખવાથી હ્રદય તથા શરીર સ્વસ્થ રહે છે.

સારી ઊંઘ જરૂરી છે : તજજ્ઞોના મતે, યોગ્ય ઊંઘથી પણ બ્લડ પ્રેશર નિયંત્રિત થઈ શકે છે. રાત્રે ઓછામાં ઓછી 7 કલાક ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘમાં ખલેલ પહોંચાડતી પ્રવૃત્તિઓ ટાળો – જેમ કે સૂતાં પહેલા મોબાઇલ, ટીવી અથવા તેજ પ્રકાશવાળી વસ્તુઓનો ઉપયોગ.

તણાવથી દૂર રહો : મનોવૈજ્ઞાનિકો માને છે કે વ્યક્તિના વિચારો શરીર પર સીધો અસર કરે છે. તેથી શક્ય હોય તેટલી સકારાત્મકતા અપનાવો, તણાવ ટાળો. પુસ્તકો વાંચો, ધ્યાન કરો અને પોતાનું બીપી નિયમિત ચેક કરો. સાથે જ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર પણ નિયંત્રણમાં રાખો. (All Image - Canva)