
બીજી તરફ, 'પુષ્પા 2'ના નિર્માતાઓએ 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મના પ્રીમિયર વખતે ફાટી નીકળેલી નાસભાગમાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારને મદદનો હાથ લંબાવ્યો હતો. સોમવારે ફિલ્મના નિર્માતાઓએ મહિલાના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ગંભીર રીતે ઘાયલ મહિલાનો 8 વર્ષનો પુત્ર હજુ કોમામાં છે. આ ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ બાદ અલ્લુ અર્જુનની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે. ત્યા પુષ્પા ફેમ અભિનેતા પર ફરી મુસીબત આવી પડી છે.