મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે જન્મ દિવસ છે. ત્યારે આજના આ દિવસે CM વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિર માં દર્શન કરવા પહોચ્યાં હતા.
સીએમ ભૂપેન્દ્ર પટેલે અડાલજ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસર માં પૂજ્ય દાદા ભગવાન , પૂજ્ય નીરૂમાં ની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિર માં જલાભિષેક કર્યો હતો.
મુખ્યમંત્રીએ જન્મ દિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.
CM ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે.ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યાર બાદ વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં નવા સીએમ છે. ત્યારે આજે મંદિર પરિસરમાં સીએમએ શિવલિંગને જળ પણ ચઢાયું હતુ
Published On - 12:20 pm, Mon, 15 July 24