આશુતોષ રાણા પરિવાર, એક એવો અભિનેતા જે અનેક ફિલ્મોમાં હિરો પર ભારે પડ્યો છે, તેને વિલનના પાત્રમાં ચાહકો ખુબ પસંદ કરે છે

|

Nov 11, 2023 | 8:52 AM

અભિનેતા, નિર્માતા, હોસ્ટ, લેખક અને મહાન કલાકાર આશુતોષ રાણાનો જન્મ 10 નવેમ્બર 1967ના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો. આશુતોષ માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ મરાઠી, તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. આશુતોષ તેની લાઈફ પાર્ટનર અને પ્રખ્યાત અભિનેત્રી-હોસ્ટ રેણુકા શહાણે સાથે સુખી જીવન જીવી રહ્યો છે. તેમને બે પુત્રો શૌર્યમન રાણા અને સત્યેન્દ્ર રાણા છે.

1 / 5
આશુતોષ રાણા અને રેણુકા શહાણે ભારતીય સિનેમાના એવા કલાકારોમાંથી એક છે, જેમણે પોતાના દમદાર અભિનય દ્વારા ચાહકોમાં એક અલગ ઓળખ બનાવી છે, પરંતુ ચાહકો તેમના અંગત જીવન વિશે પણ જાણવા માંગે છે. તો આજે તેના જન્મ દિવસ પર તેના પરિવાર વિશે જાણીએ.

આશુતોષ રાણા અને રેણુકા શહાણે ભારતીય સિનેમાના એવા કલાકારોમાંથી એક છે, જેમણે પોતાના દમદાર અભિનય દ્વારા ચાહકોમાં એક અલગ ઓળખ બનાવી છે, પરંતુ ચાહકો તેમના અંગત જીવન વિશે પણ જાણવા માંગે છે. તો આજે તેના જન્મ દિવસ પર તેના પરિવાર વિશે જાણીએ.

2 / 5
આશુતોષ રાણાનું ગુજરાત કનેક્શન પણ છે.આશુતોષ રાણાએ અમદાવાદ જિલ્લાના કાસિન્દ્રામાં પણ થોડો સમય વિતાવ્યો હતો.  તે સ્થાનિક રામલીલા પ્રોડક્શન્સમાં રાવણની ભૂમિકા ભજવતો હતો. તેના પિતાનું નામ રામનારાયણ નીખરા છે. તેને એક બહેન પણ છે.

આશુતોષ રાણાનું ગુજરાત કનેક્શન પણ છે.આશુતોષ રાણાએ અમદાવાદ જિલ્લાના કાસિન્દ્રામાં પણ થોડો સમય વિતાવ્યો હતો. તે સ્થાનિક રામલીલા પ્રોડક્શન્સમાં રાવણની ભૂમિકા ભજવતો હતો. તેના પિતાનું નામ રામનારાયણ નીખરા છે. તેને એક બહેન પણ છે.

3 / 5
રેણુકા સાહાણે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. આશુતોષ સાથેની તેની કેમેસ્ટ્રી ઘણી પસંદ કરવામાં આવી છે. બંનેની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. અભિનેતાએ તેને ફોન પર કવિતા દ્વારા પ્રપોઝ કર્યું હતું.

રેણુકા સાહાણે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. આશુતોષ સાથેની તેની કેમેસ્ટ્રી ઘણી પસંદ કરવામાં આવી છે. બંનેની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. અભિનેતાએ તેને ફોન પર કવિતા દ્વારા પ્રપોઝ કર્યું હતું.

4 / 5
આશુતોષ રાણા સાથે રેણુકાના આ બીજા લગ્ન છે. તેના પ્રથમ લગ્ન મરાઠી થિયેટર દિગ્દર્શક વિજય કેંકરે સાથે થયા હતા. પરંતુ બધું બાજુ પર રાખીને આશુતોષ અને રેણુકાએ વર્ષ 2001માં લગ્ન કરી લીધા. બંને બે પુત્રો શૌર્યમાન અને સત્યેન્દ્રના માતા-પિતા છે.

આશુતોષ રાણા સાથે રેણુકાના આ બીજા લગ્ન છે. તેના પ્રથમ લગ્ન મરાઠી થિયેટર દિગ્દર્શક વિજય કેંકરે સાથે થયા હતા. પરંતુ બધું બાજુ પર રાખીને આશુતોષ અને રેણુકાએ વર્ષ 2001માં લગ્ન કરી લીધા. બંને બે પુત્રો શૌર્યમાન અને સત્યેન્દ્રના માતા-પિતા છે.

5 / 5
બોલિવૂડ સિવાય આશુતોષ રાણાએ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગની કૌશલ્ય સાબિત કરી છે.  તેણે 'વેંકી', 'બંગારામ' જેવી તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી સિવાય તેની પત્ની રેણુકા પણ મરાઠી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.

બોલિવૂડ સિવાય આશુતોષ રાણાએ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગની કૌશલ્ય સાબિત કરી છે. તેણે 'વેંકી', 'બંગારામ' જેવી તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી સિવાય તેની પત્ની રેણુકા પણ મરાઠી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.

Next Photo Gallery