
મુંબઈ વેબ સીરિઝ મિર્ઝાપુરમાં કાલીન ભૈયાની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ત્રિપાઠી તેની ઉત્તમ અભિનય માટે જાણીતા છે. પંકજ ત્રિપાઠીએ 2004માં આવેલી ફિલ્મ 'રન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે તેમાં તેનો બહુ જ નાનો રોલ હતો, જેના કારણે કોઈએ તેની નોંધ લીધી ન હતી.

પંકજ ત્રિપાઠીએ પણ 2004માં મૃદુલા સાથે લગ્ન કર્યા હતા. થોડા વર્ષો પહેલા કપિલ શર્માના શોમાં પહોંચેલા પંકજે પોતાના જીવનની કેટલીક રસપ્રદ વાતો અહીં શેર કરી હતી તમને જણાવી દઈએ કે પરિણીત પંકજ હવે એક દીકરી આશીના પિતા છે.

પંકજ ત્રિપાઠીના પિતા ઈચ્છતા હતા કે તે ડોક્ટર બને. આ માટે મેં બે વખત એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી હતી પરંતુ ફેલ થયા હતા. પંકજ ત્રિપાઠીએ એકવાર કહ્યું હતું કે તેના પિતાને તેની ઉપલબ્ધિઓમાં બિલકુલ રસ ન હતો. તેમને એ પણ ખબર નથી કે તેમનો પુત્ર પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શું કામ કરે છે. પંકજ ત્રિપાઠી હાલમાં ઓએમજી 2 અને ફુકરે 3માં જોવા મળ્યા છે. ફુકરે 3 હાલમાં સારી કમાણી કરી રહી છે.

આશી ત્રિપાઠી એક પ્રખ્યાત બોલીવુડ સ્ટારની પુત્રી હોવા છતાં, લાઈમલાઈટથી દૂર રહે છે અને સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. આશીની ઉંમર માત્ર 16 વર્ષની છે પરંતુ તેની સુંદરતાથી તે મોટી અભિનેત્રીઓને માત આપે છે.આઈફા એવોર્ડ 2022ના ફંક્શનથી આશી ત્રિપાઠી ચર્ચામાં આવી હતી.
Published On - 9:30 am, Thu, 5 October 23