
અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો પુનીતે 1 ડિસેમ્બર 1999ના રોજ અશ્વિની રેવંત સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે પુત્રીઓ છે.પુનીત રાજકુમારનું ગત્ત વર્ષ 2021માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પુનીતના મૃત્યુથી આખું સિનેમા જગત આઘાતમાં હતું. તેઓ એક સારા ગાયક પણ હતા. પુનીતે વર્ષ 2002માં ફિલ્મ 'અપ્પુ'થી એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં પુનીતે પહેલીવાર એક ગીત પણ ગાયું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું.

અભિનેતા પુનીતને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તેણે બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. કન્નડ ફિલ્મોમાં કામ કરનાર પુનીતની ઘણી ફિલ્મોએ રેકોર્ડ તોડ્યા છે. અભિનેતાના ચાહકો તેને પ્રેમથી અપ્પુ કહેતા હતા.

એક્ટિંગની દુનિયામાં પોતાનું નામ બનાવનાર પુનીત રાજકુમાર માત્ર એક્ટર જ નહીં પરંતુ એક સામાજિક કાર્યકર પણ હતા. ફિલ્મોમાં અભિનયની સાથે સાથે તેઓ 26 અનાથાશ્રમ, 19 ગૌશાળા અને 16 વૃદ્ધાશ્રમ ચલાવતા હતા. આ ઉપરાંત તેઓ 4800 આર્થિક રીતે નબળા બાળકોના શિક્ષણ અને રહેવાની જવાબદારી પણ નિભાવતા હતા.
Published On - 2:04 pm, Mon, 30 October 23