
હર્ષવર્ધન રાણેનો જન્મ 16 ડિસેમ્બર 1983ના રોજ આંધ્રપ્રદેશમાં તેલુગુ માતા અને મરાઠી પિતાને ત્યાં થયો હતો. તેમના પિતા વિવેક રાણે ગ્વાલિયર, મધ્યપ્રદેશમાં ડૉક્ટર હતા. તેમનો ઉછેર ગ્વાલિયરમાં થયો હતો અને 16 વર્ષની ઉંમરે તેઓ દિલ્હી ગયા અને પછી મહારાષ્ટ્રમાં સ્થાયી થયા.

હર્ષવર્ધન રાણે એક અભિનેતા છે, જે મુખ્યત્વે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. રાણેએ તેલુગુ ફિલ્મ થકિતા થકિતા (2010) થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી,

અભિનેતા હર્ષવર્ધન રાણે સનમ તેરી કસમ (2016) થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું, જેના માટે તેમને સુપરસ્ટાર ઓફ ટુમોરો મેલ નોમિનેશન માટે સ્ટારડસ્ટ એવોર્ડ મળ્યો હતો.

હર્ષવર્ધન રાણેએ ટેલિવિઝન પર લેફ્ટ રાઈટ લેફ્ટ (2007-2008) માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તે પ્રેમા ઇશ્ક કાધલ (2013), અનામિકા અને માયા સહિતની તેલુગુ ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કર્યા પછી, રાણેને તૈશ (2020)માં ગેંગસ્ટર અને હસીન દિલરૂબા (2021)માં તેની ભૂમિકા માટે પ્રશંસા મળી છે.હર્ષવર્ધન રાણે અંગ્રેજી, હિન્દી, તેલુગુ અને મરાઠી ભાષામાં કામ કર્યું છે. તેમણે 2018 થી 2019 સુધી અભિનેત્રી કિમ શર્માને ડેટિંગ કરતો હતો.

હર્ષવર્ધન રાણેએ પોતાના 41માં જન્મદિવસ પર કેમ્પર વાન ખરીદી છે. 12 વર્ષ પછી તેમનું સ્વપ્ન સાકાર થયું છે.હર્ષવર્ધન ભારતનો પહેલો એવો અભિનેતા છે જેણે પોતાનું આલીશાન ઘર છોડીને કેમ્પર વાનમાં રહેવાનું નક્કી કર્યું છે.

તેમણે 16 વર્ષની ઉંમરે અભિનેતા બનવાના સ્વપ્ન સાથે મુંબઈ આવ્યો હતો.આજે બોલિવુડમાં હિટ ફિલ્મો આપી રહ્યો છે. એક્ટિંગ કરિયરની શરુઆત ટીવી સીરિયલથી કરી હતી.

તેમણે કહ્યું કે તેઓ ક્યારેય વિલનની ભૂમિકા ભજવવા માંગતા ન હતા, તેથી તેમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ "રામ લીલા" ના પાડી હતી.

જોકે, પાછળથી તેમને તેનો પસ્તાવો થયો. અભિનેતાએ સમજાવ્યું કે સંજય લીલા ભણસાલીના કલાકારોની યાદીમાં સામેલ થવું તે સમયે તેમની કારકિર્દી માટે ફાયદાકારક હોત.