
પૂજાએ આગળ એમ પણ કહ્યું કે, અમૃતસરમાં સરકારે પ્લેનને રોકવા માટે ઓપરેશન કરવું જોઈતું હતું અને મુસાફરોને આશા હતી કે આ પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવશે પરંતુ એવું થયું નહીં. પૂજાએ જણાવ્યું કે જે દિવસે પ્લેન હાઇજેક થયું તે દિવસે તેનો જન્મદિવસ હતો. જેમાં બર્ગર નામના હાઇજેકરે તેને પહેરેલી શાલ ભેટમાં આપી હતી અને તે શાલ પર મેસેજ લખ્યો હતો જે તેણે આજ સુધી સાચવી રાખ્યો છે.

"સિરીઝને મનોરંજન તરીકે જુઓ" : પૂજાએ હાઈજેક વખતે પ્લેનમાં યાત્રીઓને આપેલો સામાન હજુ પણ રાખ્યો છે. આ વાતચીતમાં પૂજાએ પ્લેન હાઇજેક દરમિયાન બનેલી આખી ઘટના જણાવી. તેણે જણાવ્યું કે કેવી રીતે પ્લેન હાઇજેક કરવામાં આવ્યું અને તે ત્યાંથી કેવી રીતે ભાગવામાં સફળ થઈ હતી.

તેણે કહ્યું કે, સિરીઝને મનોરંજન તરીકે લેવી જોઈએ. સિરીઝમાં પ્લેનમાં બનેલી ઘટનાઓ સાથે રાજકીય ગતિવિધિઓ બતાવવામાં આવી છે અને આ સિરીઝ સાચી ઘટનાઓ પર આધારિત છે અને તેના આધારે જોવી જોઈએ.