
આદિત્ય ધરનો પરિવાર જુઓ

તેમણે તાજેતરમાં રણવીર સિંહ અભિનીત ગેંગસ્ટર ફિલ્મ ધુરંધરનું દિગ્દર્શન કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર હિટ રહી છે. આજે આપણે આદિત્ય ધરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

આદિત્ય ધરે અભિનેત્રી યામી ગૌતમ સાથે લગ્ન કર્યા છે અને તેમની પોતાની પ્રોડક્શન કંપની, B62 સ્ટુડિયો (જેને આદિત્ય ધર ફિલ્મ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે) છે.

આદિત્ય ધરનો જન્મ 12 માર્ચ 1983ના રોજ નવી દિલ્હીમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમની માતા સુનીતા ધર છે, જેઓ દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ ડીન છે,

2021માં તેમણે તેમના મોટા ભાઈ લોકેશ ધર સાથે મળીને પોતાની પ્રોડક્શન કંપની, B62 સ્ટુડિયોની સહ-સ્થાપના કરી હતી.આદિત્ય ધર એક ફિલ્મ દિગ્દર્શક, લેખક, ગીતકાર અને નિર્માતા છે.

યામી ગૌતમ અને આદિત્ય ધર 2019માં આવેલી ફિલ્મ "ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક" ના સેટ પર મળ્યા હતા. આદિત્ય ફિલ્મના દિગ્દર્શક હતા, અને યામી મુખ્ય અભિનેત્રી હતી. તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. ત્રણ વર્ષ ડેટિંગ કર્યા પછી, તેઓએ 4 જૂન, 2021 ના રોજ લગ્ન કર્યા.

4 જૂન 2021ના રોજ આદિત્ય ધરે પરંપરાગત હિન્દુ વિધિથી બોલિવુડ અભિનેત્રી યામી ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. યામીએ તેના લગ્નમાં તેની માતાની 33 વર્ષ જૂની સિલ્ક સાડી પહેરી હતી.

તેમના પહેલા બાળક વેદવિદ ધર નામના પુત્રનો જન્મ 10 મે 2024ના રોજ થયો હતો.

ફિલ્મ "ધુરંધર" 500 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. જો આપણે આદિત્યની ફી વિશે વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્ય એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા લે છે.

અહેવાલો અનુસાર, યામી ગૌતમ અને આદિત્યની સંયુક્ત સંપત્તિ 99 થી 104 કરોડની વચ્ચે છે.

આદિત્ય પોતાના પ્રોડક્શનમાંથી પણ કમાણી કરે છે. મુંબઈ ઉપરાંત, આદિત્ય અને યામી ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં કરોડોની મિલકતો ધરાવે છે.

280 કરોડના બજેટમાં બનેલી ધુરંધર 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. 28કરોડથી શરૂઆત કરતી આ ફિલ્મે 800 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. સેલિબ્રિટી પણ ધુરંધર ફિલ્મના ખુબ જ વખાણ કરી રહ્યા છે.