
બિહારમાં ચૂંટણીના માહૌલ વચ્ચે, લોક ગાયિકા મૈથિલી ઠાકુરના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચા વધી રહી છે. તેમણે સંકેત આપ્યો છે કે જો તક મળશે તો તે ચૂંટણી લડશે અને લોકોને મદદ કરશે.તો આજે આપણે મૈથિલી ઠાકુરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

મૈથિલી ઠાકુરે કહ્યું કે, જો તે રાજકારણમાં પ્રવેશ કરશે તો તેનું લક્ષ્ય લોકોને મદદ કરવાનું રહેશે અને તે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે એમ પણ વચન આપ્યું હતું કે જો તે ચૂંટણી જીતશે તો તે બધું જ હૃદય અને પ્રમાણિકતાથી કરશે.

મૈથિલી ઠાકુરનું નામ દેવી સીતા તેમજ તેમની માતૃભાષાના નામ પરથી રાખવામાં આવ્યું છે. મૈથિલી, તેમના બે ભાઈઓ, ઋષભ અને આયાચી સાથે તેમના દાદા અને પિતા દ્વારા મૈથિલી લોક, ભારતીય શાસ્ત્રીય સંગીત, હાર્મોનિયમ અને તબલામાં તાલીમ લીધી હતી.

6 વર્ષની ઉંમરે તેમની પુત્રીની ક્ષમતાને સમજીને, તેમના પિતા વધુ સારી તકો માટે નવી દિલ્હીના દ્વારકામાં સ્થળાંતરિત થયા હતા. આજે મૈથિલી લોકગીત માટે જાણીતી છે. તેમજ મૈથિલીના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે.

માત્ર 4 વર્ષની ઉંમરે તેના દાદા પાસેથી સંગીત શીખવાનું શરૂ કર્યું. મૈથિલીના પ્રથમ સંગીત ગુરુ તેના દાદા છે. 10 વર્ષની ઉંમરે, તેમણે જાગરણ અને અન્ય સંગીત કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યું હતુ.આજે કરોડો રુપિયાની માલિક છે.

મૈથિલી ઠાકુરે હિન્દી, બંગાળી, મૈથિલી, ઉર્દૂ, મરાઠી, ભોજપુરી, પંજાબી, તમિલ, અંગ્રેજી અને અનેક ભારતીય ભાષાઓમાં ભજન અને ગીતો ગાયા છે.જો મૈથિલી ઠાકુર ચૂંટણી લડે છે, તો તેમની કુલ સંપત્તિમાં પણ વધારે થશે.

8 માર્ચ 2024ના રોજ ઉદ્ઘાટન રાષ્ટ્રીય સર્જકો પુરસ્કારમાં ભારતના વડા પ્રધાન દ્વારા મૈથિલી ઠાકુરને કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મૈથિલી ઠાકુરે અનેક સિંગિંગ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે. તે પહેલી વાર લિટલ ચેમ્પ્સમાં દેખાઈ હતી, પરંતુ સ્થાન મેળવી શકી ન હતી. ત્યારબાદ તે 6 વધુ રિયાલિટી શો માટે ઓડિશન આપ્યું, પરંતુ વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે 2017માં રિયાલિટી શો "રાઇઝિંગ સ્ટાર ઇન્ડિયા" સાથે સફળતા મળી,

જ્યાં તેમણે તેના અવાજથી ચાહકો અને જજને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંપરાગત લોકગીતોની તેની રજૂઆતે તેને સિંગિગ સ્ટારમાં એક અનોખું સ્થાન અપાવ્યું છે.

મૈથિલી બોલિવૂડમાં અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ "ઔરોં મેં કહાં દમ થા" નું "કિસી રોજ" ગીત ગાયું છે.

એક રિપોર્ટ અનુસાર, મૈથિલી ઠાકુર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ માટે લગભગ 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

મૈથિલી ઠાકુરના દાદા -દાદી શોભા સિંધુ ઠાકુર અને સત્યભાભા ઠાકુર સંગીત સાથે સંકળાયેલ છે. મૈથિલી ઠાકુરે લોકગીતોની સાથે સાથે શાસ્ત્રીય સંગીતમાં પણ ખુબ ખ્યાતિ મેળવી છે