
અભિષેક બચ્ચને આરાધ્યાના ઉછેરનો બધો શ્રેય ઐશ્વર્યાને આપ્યો છે. અભિષેકે એ પણ ખુલાસો કર્યો કે આરાધ્યાનું ન તો કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે અને ન તો તેની પાસે ફોન છે. ઐશ્વર્યાએ આરાધ્યા માટે આ બધી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

અભિનેતાએ કહ્યું હું મારી ફિલ્મો માટે બહાર જાવ છું પરંતુ એશ્વર્યા દીકરીનું ધ્યાન રાખે છે.આરાધ્યાનો સંપૂર્ણ શ્રેય ઐશ્વર્યાને જાય છે.તેમણે કહ્યું જે રીતે આરાધ્યાની પરવરિશ થઈ રહી છે. તેનાથી લાગે કે, તે એક કર્તવ્યનિષ્ઠ છોકરી બનશે. તેની વ્યક્તિગત ઓળખ હશે.

અભિષેક હાલમાં તેની ફિલ્મ 'કાલીધર લપતા' માટે ચર્ચામાં છે, જે 4 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ Z5 પર રિલીઝ થઈ હતી. ફિલ્મની સાથે, આ ફિલ્મમાં અભિષેકના ખૂબ વખાણ પણ થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આરાધ્યા હાલમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેના સ્કૂલ ફંક્શનના ફોટા અને વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
Published On - 11:27 am, Sun, 6 July 25