
બાળકની તકલીફને 30 દિવસથી વધારે સમય થઈ જવા છતાં કોઈ સુધારો ન થતાં આખરે માતા-પિતા તેને લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યાં હતાં. જ્યાં નિદાન આવ્યું હતું કે, બાળકની અન્નનળીમાં સિંગોડાની છાલ ચોંટી ગઈ છે, જેથી તે કંઈ ખાઈ શકતું નથી.

નિદાન થતાં સયાજી હોસ્પિટલના ડો. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ 2 તબીબોએ બાળકની ઇસોફેગોસ્કોપી કરીને શિંગોડાની છાલ બહાર કાઢી હતી. બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાં રજા અપાઈ હતી.
Published On - 6:10 pm, Wed, 19 February 25