
ખરીદી દરમિયાન મુખ્યમંત્રીએ બજારમાં ફરતા ફેરિયાઓ સાથે સંવાદ પણ કર્યો અને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન સ્થાનિક લોકો તેમના સહજ સ્વભાવ અને હળવી છબીથી પ્રભાવિત થયા હતા.

મુખ્યમંત્રીએ પોતાની વ્યક્તિગત સાદગી દ્વારા જાહેરમાં આ સાબિત કર્યું કે, એક મુખ્યમંત્રી હોવા છતાં પણ તેઓ સામાન્ય નાગરિકોની જેમ જ તહેવાર ઉજવે છે.

આ પરથી એક વાત સાબિત થાય છે કે, તહેવાર માત્ર ખરીદી અને ઉજવણી માટે જ નથી પરંતુ સ્થાનિક બજારો, હસ્તકલા ઉત્પાદકો અને નાના વેપારીઓને પ્રોત્સાહિત કરવાની તક પણ છે.