
પ્રાદેશિક પરિવહન અધિકારીએ જણાવ્યું હતું કે પહાડી રસ્તાઓ પર વાહન ચલાવવું એક પડકારજનક છે, જેમાં ડ્રાઇવરોની કુશળતા અને સાવધાની ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ નિયમનું કડક પાલન કરવામાં આવશે.

એડવાઈઝરીમાં કોમર્શિયલ ડ્રાઈવરો માટે ઘણી અન્ય મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. વાહનચાલકોએ ખાસ ડ્રાઈવિંગ લાઈસન્સ, ફિટનેસ પ્રમાણપત્ર અને વાહનના તમામ દસ્તાવેજો રાખવા પડશે. વાહન ચાલકોને ચંપલ કે સેન્ડલ પહેરી વાહન ચલાવવાની અનુમતિ હશે નહી.તેના બદલે શુઝ કે મજબૂત ટ્રેકિંગ જૂતા પહેરવાના રહેશે

ચારધામ યાત્રા ઉત્તરાખંડ માટે ધાર્મિક અને આર્થિક બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. દર વર્ષે, રાજ્ય આ યાત્રાથી કરોડો રૂપિયાની આવક મેળવે છે અને હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે.