
ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) સામાન્ય રીતે એપ્રિલ/મે અને ઓક્ટોબર/નવેમ્બર વચ્ચે થાય છે અને તે 10-12 દિવસની યાત્રા છે. આ યાત્રા હરિદ્વાર અથવા ઋષિકેશથી શરૂ થાય છે, જ્યાંથી તમે બસ, ખાનગી કાર અથવા હેલિકોપ્ટર દ્વારા આ યાત્રા પૂર્ણ કરી શકો છો.

અમદાવાદથી ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા કેવી રીતે કરવી તે વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ તો સૌથી સરળ રૂટ ક્યા છે. તે પણ જાણીએ.અમદાવાદ થી દિલ્હી/દેહરાદૂન થી થઈને હરિદ્વાર/ઋષિકેશ ત્યારબાદ ચાર ધામ શરુ થાય છે.

ટ્રેન દ્વારા અમદાવાદથી હરિદ્વાર અથવા દેહરાદુન સુધી ટ્રેનમાં જઈ શકો છો. હરિદ્વારથી બસ, ટેક્સી અથવા ટૂર પેકેજ દ્વારા યાત્રા શરૂ થાય છે.અમદાવાદથી દેહરાદુન જવા માટે ફ્લાઇટમાં પણ જઈ શકો છો.દેહરાદૂનના એરપોર્ટ પરથી ટેક્સી/ટૂર બસ મળી જશે.

અમદાવાદ સહિત ગુજરાતમાંથી ઘણા ટૂર ઓપરેટર્સ ચાર ધામ પેકેજ શરુ કરે છે. જેમાંટ્રેન/ફ્લાઇટ,હોટેલ,ભોજન,સ્થાનિક ટ્રાવેલ,દર્શનનો સમાવેશ થાય છે. આ સૌથી આરામદાયક વિકલ્પ છે, ખાસ કરીને પરિવાર અથવા વડીલો માટે સારો વિકલ્પ કહી શકાય.

યાત્રા સામાન્ય રીતે યમુનૌત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથમાં પૂર્ણ થાય છે. આ યાત્રા કુલ 10 થી 14 દિવસ સુધીમાં પૂર્ણ થાય છે.ચાર ધામની યાત્રામાં જવા માટે બેસ્ટ સમય મે થી જૂન અને સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધી જઈ શકો છો.કારણ કે,ચોમાસા દરમિયાન ભૂસ્ખલનનો ખતરો રહે છે.

આ યાત્રા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન જરૂરી હોય છે. ચારધામ યાત્રામાં જવા માટે તમે તમારા બેગમાં ગરમ કપડા , સહિત જરુરી વસ્તુઓ રાખી શકો છો.કેદારનાથ માટે ફિટનેસ જરૂરી છે. (Photo : PTI)