
કબીર બેદીના પ્રેમભર્યા ચોથા લગ્નની વાત કરવામાં આવે તો ફિલ્મ અભિનેતા કબીર બેદીએ 2016 માં પોતાના 70મા જન્મદિવસે 38 વર્ષીય પરવીન દુસાની સાથે લગ્ન કરીને સોશ્યલ મીડિયા પર ચર્ચા જગાવી હતી. પૂર્વમાં ત્રણ લગ્ન કરી ચૂકેલા કબીરે એમના જીવનમાં પ્રેમને ફરી એક તક આપી.

સુહાસિની મુળેનો શાંતિભર્યો દાંપત્યજીવન વિશે વાત કરવામાં આવે તો.. નૅશનલ એવૉર્ડ વિજેતા અભિનેત્રી સુહાસિની મુળેએ 60 વર્ષની ઉંમરે ભૌતિકશાસ્ત્રી અતુલ ગુર્તુ સાથે લગ્ન કર્યા. આજે તેઓ ખુશ અને સંતોષભર્યું જીવન જીવે છે.

રાજકારણ અને પ્રેમની વાત કરવામાં આવે તો એન.ટી. રામરાવે 73 વર્ષની ઉંમરે 38 વર્ષની લક્ષ્મી પાર્વતી સાથે લગ્ન કર્યા.

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે પત્નીના અવસાન બાદ 69 વર્ષની ઉંમરે 43 વર્ષીય પત્રકાર અમ્રિતા રાય સાથે લગ્ન કર્યાં.

ભારતમાં છોકરીઓ માટે લગ્નની કાયદેસર વય 18 અને છોકરાઓ માટે 21 છે. જોકે, આ ફક્ત કાયદેસર માપદંડ છે. લગ્ન માટે મહત્વની છે બંનેની શારીરિક, માનસિક અને ભાવનાત્મક પરિપક્વતા. જેમ જેમ સમય પસાર થયો છે, પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા પણ વિસ્તરી છે. હવે લોકો ઉંમર નહીં, પણ વ્યક્તિત્વ અને સમજણને વધુ મહત્વ આપે છે.
Published On - 5:02 pm, Mon, 14 July 25