
પૂજા સમયે ભગવાનને ઘી, ફૂલ, ચંદન, નાડાછડી અને સોપારી જેવી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. પૂજા પૂરી થયા પછી આમાંથી કેટલીક વસ્તુઓ બચી જાય છે, તેથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું તેમને ફરીથી શુદ્ધ કરીને પૂજામાં વાપરી શકાય.( Credits: AI Generated )

જો તમને પણ પૂજાની વસ્તુઓ વિશે ગૂંચવણ હોય, તો સરળ રીતે સમજો કે કેટલીક સામગ્રી ફરી વાપરી શકાય છે, જ્યારે કેટલીકનો પુનઃઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવતો નથી. ( Credits: AI Generated )

તમે ચાંદી, પિત્તળ અથવા તાંબાના પૂજાના વાસણો સાફ કરીને ફરી વાપરી શકાય છે. તેમજ મૂર્તિ, ઘંટ, શંખ, માળા અને બેઠક જેવી ટકાઉ વસ્તુઓ પણ પુનઃઉપયોગ માટે યોગ્ય માનવામાં આવે છે. ( Credits: AI Generated )

પ્રસાદ, પાણી, ફૂલ, માળા, ચંદન, કુમકુમ, અગરબત્તી, નારિયેળ, અખંડ ચોખા તેમજ દીવામાં બચેલું તેલ કે ઘી જેવી અર્પિત વસ્તુઓને ફરી પૂજામાં વાપરવું યોગ્ય માનવામાં આવતું નથી, કારણ કે એકવાર અર્પણ થયા પછી તેમની પવિત્રતા ઓછી થઈ જાય છે. ( Credits: AI Generated )

પૂજામાં ચઢાવેલા તુલસીના પાન ફરીથી વાપરી શકાય છે. જો નવા પાન ન મળે તો જૂના પાનનો ઉપયોગ કરવો માન્ય છે, કારણ કે તુલસીને સ્વયં શુદ્ધ માનવામાં આવે છે અને તે વાસી ગણાતી નથી. ( Credits: AI Generated )

ભગવાનને ચઢાવેલ બીલીપત્ર સાફ કરીને ફરી પૂજામાં ઉપયોગ કરી શકાય છે, તેમાં કોઈ વાંધો નથી. પરંતુ પાન તૂટેલું અથવા દાગવાળું ન હોવું જોઈએ. માન્યતા મુજબ બીલીપત્ર લાંબા સમય સુધી વાસી થતું નથી. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )