
બાયબેક પોલિસી: દેશમાં મોટાભાગના જ્વેલર્સ સોનાના દાગીના પર બાયબેક પોલિસી આપે છે, જેમાં વ્યક્તિ પોતાના જૂના દાગીના આપીને નવા દાગીના ખરીદી શકે છે. ડિઝાઇન અને ટ્રેન્ડમાં બદલાવ આવી શકે છે પણ સોનાની કિંમત લગભગ સરખી રહે છે. આથી ખરીદી કરતા પહેલા જ્વેલર્સ પાસેથી બાયબેક પોલિસી વિશે અવશ્ય જાણી લો.

વિશ્વસનીય દુકાન: ભારતમાં સોનાના દાગીના માટે હજારો દુકાનો અને શોરૂમ છે પણ સોનું હંમેશા વિશ્વસનીય અને જાણીતી દુકાનમાંથી જ ખરીદવું જોઈએ. નાની દુકાનો પરથી સોનું ખરીદવું થોડું જોખમભર્યું કામ છે. નાની દુકાનોના વ્યાપારી અશુદ્ધ સોનું શુદ્ધ સોના તરીકે વેચી શકે છે અથવા તો તે ચોરાયેલું સોનું પણ આપી શકે છે. આથી સોનું ખરીદતી વખતે GST વાળું પાકું બિલ અવશ્ય લેવું.