
સમ્રાટ ચૌધરીનો જન્મ 16 નવેમ્બર 1968માં થયો છે. જેમને તેમના રાકેશ કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે,એક ભારતીય રાજકારણી છે, જે હાલમાં બિહારના મુખ્યમંત્રી બન્યા છે.સમ્રાટ ચૌધરી બહિરાના નાયબ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી રહી ચૂક્યા છે.

2025માં તારાપુર વિધાનસભા મતવિસ્તારમાંથી બિહાર વિધાનસભામાં ચૂંટાતા પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી બિહાર વિધાનસભા પરિષદના સભ્ય હતા. તેઓ માર્ચ 2023 થી 25 જુલાઈ 2024 સુધી ભાજપ બિહાર રાજ્ય એકમના પક્ષ પ્રમુખ રહ્યા છે.

સમ્રાટ ચૌધરી બિહાર રાજ્ય માટે ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને 2019માં તેમનો પહેલો કાર્યકાળ પૂરો થયા પછી 2020માં એમએલસી તરીકે બીજા કાર્યકાળ માટે ચૂંટાયા હતા.

2014માં સમ્રાટે તેર ધારાસભ્યોને પાર્ટીના વિભાજીત જૂથ તરીકે છોડીને રાષ્ટ્રીય જનતા દળમાં વિભાજનની યોજના બનાવી, બાદમાં ભાજપમાં જોડાયા.2022માં, તેમને બિહાર વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

2024માંતેમને ગુડ્સ અને સર્વિસ ટેક્સ રેટ રેશનલાઇઝેશન પેનલ પર મંત્રીઓના જૂથના કન્વીનર પણ બનાવવામાં આવ્યા હતા.ચૌધરી કોઈરી કુશવાહા જાતિના છે અને તેઓ લાંબા સમયથી ભાજપનો OBC ચહેરો રહ્યા છે.

તેમનો જન્મ 16 નવેમ્બર 1968ના રોજ મુંગેરના લખનપુર ગામમાં થયો હતો. તેમની માતાનું નામ પાર્વતી દેવી અને પિતાનું નામ શકુની ચૌધરી છે. તેમનું પૈતૃક ગામ મુંગેર જિલ્લાના તારાપુર બ્લોકના લખનપુરમાં છે.

સમ્રાટ ટોચના રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. તેમના પિતા શકુની ચૌધરી સાત વખત ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે અને માતા પાર્વતી દેવી તારાપુર મતવિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

તેમનું મૂળભૂત શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમની શૈક્ષણિક લાયકાત જાહેર વિવાદનો વિષય બની ચૂકી છે.

સમ્રાટ ચૌધરીએ મંત્રીથી મુખ્યમંત્રી સુધીની તેમની સફરમાં ઘણી માન્યતાઓ તોડી નાખી છે. તેઓ બિહારમાં બીજા નેતા છે જેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી અને પછી મુખ્યમંત્રી બન્યા.