
તમે જાણતા જ હશો કે, જો ટ્રેન કેન્સલ થઈ જાય કે પછી ટિકિટ કન્ફોર્મ ના હોય તો રેલવે દ્વારા ભાડું પરત આપી દેવામાં આવે છે. આ સિવાય ટ્રેન મોડી આવવાની સ્થિતિમાં જ્યારે તમે મુસાફરી ન કરી શકો. તો ભાડું રિફંડ કરી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક કંડીશન એવી પણ હોય છે. જ્યારે ભલે ટ્રેન મોડી ના હોય તમે મુસાફરી કરી લીધી તો પણ તમને ભાડું પાછું આપી દેવામાં આવે છે.

તમે વિચારી રહ્યા હશે કે,આવું ક્યારે થાય છે. તો આજે અમે તમને રેલવેના કેટલાક નિયમો વિશે જણાવીશું. જેમાં મુસાફરી કર્યા પછી મુસાફરોને ટિકિટના પૈસા પરત મળી જાય છે.

તમને જણાવી દઈએ કે, જ્યારે ટ્રેનમાં ટિકિટ ચેક કરનાર ટીટીઈ દ્વારા એલએલજી સર્ટિફિકેટ બનાવવામાં આવે છે. તો આ સ્થિતિમાં તમે ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. તેમજ તમારી ટિકિટના કેટલાક પૈસા રિફંડ થઈ જશે. એલએલસીનો મતલબ છે લોઅર ક્લાસ સર્ટિફિકેટ, જ્યારે ટીટીઈ દ્વારા જાહેર કરવામાં આવે છે. તો તે પૈસા રિફંડ કરી દેવામાં આવે છે.

જ્યારે કોઈ મુસાફરને કોઈ કારણસર તેમની ટિકિટ પર દર્શાવેલ વર્ગ કરતાં નીચા વર્ગમાં મુસાફરી કરવાની ફરજ પાડવામાં આવે છે ત્યારે તે જાહેર કરવામાં આવે છે. જ્યારે કેટલીક વખત કોચમાં ખરાબી થઈ જાય તો જાહેર કરવામાં આવે છે. કે પછી ખરાબીના કારણે સ્લીપર કોચમાં મુસાફરી કરવાની ફરજ પડે તો જાહેર કરવામાં આવે છે.

આવી સ્થિતિમાં રેલવે દ્વારા પૈસા આપવામાં આવે છે. માની લો કે કોઈ મુસાફરે સેકન્ડ એસીમાં ટિકિટ કરાવી છે અને ત્યારબાદ તેને થર્ડ એસી કે સ્લીપરમાં મુસાફરી કરવી પડે તો આ સ્થિતિમાં ટીટીઈ આ જાહેર કરી શકે છે. જેમાં ડિફરન્સના પૈસા રિફંડ કરી દેવામાં આવે છે.

ક્યારે ક્યારે ટિકિટનું રિફંડ મળે? જો કોઈની ટ્રેન રદ થઈ જાય છે. તો આખું ભાડું પરત કરી દેવામાં આવે છે. આ માટે ટીડીઆર દાખલ કરવાની જરુર રહેતી નથી.

જો ટ્રેન આંશિક રુપથી રદ થઈ જાય છે. તો રસ્તો બદલી દેવામાં આવે છે. તો રિફંડ મળે છે. પરંતુ આ માટે ટીડીઆર ફાઈલ કરવા પડે છે. જો ટ્રેન તેમના નિર્ધારિત સમયથી 3 કલાક કે તેની વધારે મોડી હોય અને મુસાફર મુસાફરી કરતા નથી. તો આખું રિફંડ કરવા માટે ટિડીઆર ફાઈલ કરવી પડશે.

નિર્ધારિત સમયની અંદર ટીડીઆર દાખલ કરવાથી મુસાફરને આખું ભાડું પરત મેળવવાનો દાવો કરી શકે છે. (all photo : PTI)