
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિતે ગુજરાત પ્રવાસ પર છે. સોમવારે સોમનાથ મંદિરમાં આયોજિત અમૃત પર્વ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ વિધિની સાથે પુજા અર્ચના કરી હતી.

ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંથી એક સોમનાથ મંદિરના ભવ્ય શિખરનું દેશના 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કર્યો હતો. 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ સોમનાથ મંદિર, તેના પુનર્નિર્માણ પછી તેનું પ્રથમ કુંભાભિષેક થયો હતો. પીએમ મોદી પણ તેમાં ભાગ લીધો હતો. ચાલો જોઈએ કે કુંભાભિષેક શું છે અને તે શા માટે ખાસ છે.

11 પવિત્ર તીર્થના જળથી મંદિર શિખરનું અભિષેક કરવામાં આવ્યું હતુ. 51 વૈદિક બ્રાહ્મણે રુદ્ર પાઠ કર્યો હતો. તેમજ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે એર શો કર્યો હતો. સંસ્કૃતમાં કુંભનો અર્થ થાય છે. કળશ અને અભિષેકનો મતલબ પવિત્ર સ્નાન કે દિવ્ય શક્તિનું સંચાર થાય છે.

ટુંકમાં જ્યારે વિશેષ વૈદિક વિધિઓથી આ જળને મંદિરના શિખર કળશ પર ચઢાવવામાં આવે છે. તો તેને કુંભાભિષેક કહેવામાં આવે છે. આ ફક્ત કોઈ સામાન્ય પૂજા નથી. આ એક વિશાળ વૈદિક વિધિ છે જે ઘણા દિવસો સુધી ચાલે છે, જેમાં યજ્ઞ, હવન, મંત્ર જાપ, રુદ્ર પાઠ અને અગ્નિ વિધિઓ દ્વારા આધ્યાત્મિક રીતે જળને ઉર્જાવાન બનાવવામાં આવ છે.

પછી આ જળ મંદિરના શિખરો અને મૂર્તિઓ પર રેડવામાં આવે છે. સનાતન પરંપરામાં, આ વિધિ મંદિરની દૈવી શક્તિને ફરીથી જાગૃત કરે છે અને અંદર રહેલી કોઈપણ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.સોમનાથ મંદિરના ભવ્ય શિખર પર કુંભાભિષેક માટે 11 પવિત્ર નદીઓના જળનો કળશ મંદિરના શિખર સુધી પહોંચાડવા અંદાજે 300 ટન ક્ષમતા ધરાવતી વિશાળ ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ધાર્મિક માન્યતા મુજબ કુંભાભિષેક દરમિયાન મંદિરમાં હાજર રહેવાથી અને અભિષેક જોવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન મંદિરની દૈવી ઊર્જા સૌથી વધુ સક્રિય હોય છે.

આ કારણોસર, હજારો અને લાખો ભક્તો આવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી આવે છે. સોમનાથ મંદિરમાં આ કુંભાભિષેકને શ્રદ્ધા, ઇતિહાસ, ઊર્જા અને ભારતીય સંસ્કૃતિનો દુર્લભ સંગમ પણ માનવામાં આવે છે. (All Photo: PTI)
Published On - 1:21 pm, Mon, 11 May 26