Breaking News: આખી દુનિયામાં ‘તેલ’ માટે મચશે ત્રાહિમામ ! શું હંમેશા માટે બંધ થઈ જશે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’?

શું વિશ્વના અર્થતંત્રની 'જીવનરેખા' ગણાતો દરિયાઈ માર્ગ કાયમ માટે ઠપ થઈ જશે? ઈરાનના વરિષ્ઠ નેતાએ બહેરીન સહિતના દેશોને ખુલ્લેઆમ લલકારતા કહ્યું છે કે, હોર્મુઝ જળમાર્ગ બંધ કરવાનું જોખમ ન ઉઠાવો. જો કે, આ એક ધમકી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હલચલ મચી ગઈ છે.

| Updated on: May 10, 2026 | 4:59 PM
1 / 5
ઈરાનના વરિષ્ઠ નેતા ઈબ્રાહિમ અઝીઝીએ (Ebrahim Azizi) બહેરીન અને બીજા દેશોને ચેતવણી આપી છે કે, જો તેઓએ ઈરાન વિરુદ્ધ અમેરિકા સમર્થિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવનું સમર્થન કર્યું, તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) કાયમ માટે બંધ કરવામાં આવી શકે છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના અધ્યક્ષ ઈબ્રાહિમ અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, અમેરિકાનો સાથ આપનારી સરકારોએ ગંભીર પરિણામો ભોગવવા પડશે.

ઈરાનના વરિષ્ઠ નેતા ઈબ્રાહિમ અઝીઝીએ (Ebrahim Azizi) બહેરીન અને બીજા દેશોને ચેતવણી આપી છે કે, જો તેઓએ ઈરાન વિરુદ્ધ અમેરિકા સમર્થિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવનું સમર્થન કર્યું, તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) કાયમ માટે બંધ કરવામાં આવી શકે છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના અધ્યક્ષ ઈબ્રાહિમ અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, અમેરિકાનો સાથ આપનારી સરકારોએ ગંભીર પરિણામો ભોગવવા પડશે.

2 / 5
તેમણે કહ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક મહત્વપૂર્ણ જીવનરેખા છે. તેને કાયમ માટે બંધ થવાનું જોખમ તમારા પર ન લો. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક પ્રસ્તાવમાં ફેરફાર કર્યો છે. આ પ્રસ્તાવમાં ઈરાન પાસે દરિયાઈ માર્ગે હુમલા, લેન્ડમાઈન્સ (બારૂદી સુરંગો) બિછાવવા અને જહાજોની અવરજવરમાં દખલગીરી રોકવાની માંગ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક મહત્વપૂર્ણ જીવનરેખા છે. તેને કાયમ માટે બંધ થવાનું જોખમ તમારા પર ન લો. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક પ્રસ્તાવમાં ફેરફાર કર્યો છે. આ પ્રસ્તાવમાં ઈરાન પાસે દરિયાઈ માર્ગે હુમલા, લેન્ડમાઈન્સ (બારૂદી સુરંગો) બિછાવવા અને જહાજોની અવરજવરમાં દખલગીરી રોકવાની માંગ કરવામાં આવી છે.

3 / 5
રોયટર્સના અહેવાલ મુજબ, બહેરીન એ દેશોમાં જોડાયેલ છે કે, જે આ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યો છે. પ્રસ્તાવમાં ઈરાનને વેપારી જહાજોને ધમકાવવાનું બંધ કરવા અને સમુદ્રમાં બિછાવેલી લેન્ડમાઈન્સની જાણકારી આપવાની માંગ પણ કરવામાં આવી છે. વિશ્વના તેલનો લગભગ પાંચમો ભાગ આ જ માર્ગ પરથી પસાર થાય છે.

રોયટર્સના અહેવાલ મુજબ, બહેરીન એ દેશોમાં જોડાયેલ છે કે, જે આ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યો છે. પ્રસ્તાવમાં ઈરાનને વેપારી જહાજોને ધમકાવવાનું બંધ કરવા અને સમુદ્રમાં બિછાવેલી લેન્ડમાઈન્સની જાણકારી આપવાની માંગ પણ કરવામાં આવી છે. વિશ્વના તેલનો લગભગ પાંચમો ભાગ આ જ માર્ગ પરથી પસાર થાય છે.

4 / 5
સુધારેલા પ્રસ્તાવમાંથી સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના પ્રકરણ સાતનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો છે. આ જોગવાઈ હેઠળ પ્રતિબંધો અથવા સૈન્ય કાર્યવાહી જેવા પગલાં લઈ શકાતા હતા. જો કે, નવા પ્રસ્તાવમાં ઈરાન વિરુદ્ધ કડક ભાષા યથાવત રાખવામાં આવી છે.

સુધારેલા પ્રસ્તાવમાંથી સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના પ્રકરણ સાતનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો છે. આ જોગવાઈ હેઠળ પ્રતિબંધો અથવા સૈન્ય કાર્યવાહી જેવા પગલાં લઈ શકાતા હતા. જો કે, નવા પ્રસ્તાવમાં ઈરાન વિરુદ્ધ કડક ભાષા યથાવત રાખવામાં આવી છે.

5 / 5
આમાં કહેવામાં આવ્યું છે કે, જો તેહરાન પાલન નહીં કરે તો સુરક્ષા પરિષદ પ્રતિબંધો સહિતના અસરકારક પગલાં પર વિચાર કરી શકે છે. પ્રસ્તાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સભ્ય દેશોને હોર્મુઝની ખાડીમાં પોતાના જહાજોની રક્ષા કરવાનો અધિકાર છે.

આમાં કહેવામાં આવ્યું છે કે, જો તેહરાન પાલન નહીં કરે તો સુરક્ષા પરિષદ પ્રતિબંધો સહિતના અસરકારક પગલાં પર વિચાર કરી શકે છે. પ્રસ્તાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સભ્ય દેશોને હોર્મુઝની ખાડીમાં પોતાના જહાજોની રક્ષા કરવાનો અધિકાર છે.

Follow Us