
થલાપતિ વિજય મુખ્યમંત્રી બન્યો છે પરંતુ અભિનેતાની સાથે ત્રિશા પણ ચર્ચામાં છે. એક જ્યોતિષીએ બંન્નેના સંબંધોને લઈને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ત્રિશાને વિજયની જીતનું કારણ ગણાવી છે, તેમજ આવનારા સમય વિશે પણ ચેતાવણી આપી છે.

થલાપતિ વિજય અને ત્રિશાના અફેરની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. બંન્ને અનેક વખત ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. આટલું જ નહી બંન્ને વચ્ચેની કેમિસ્ટ્રી પણ ચાહકોને વધુ પસંદ આવે છે. પરંતુ વિજય અને ત્રિશાએ ક્યારે પણ દુનિયાની સામે પોતાના સંબંધોને સ્વીકાર્યા નથી.

થલાપતિ વિજય હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.સમારોહમાં રુમર્ડ ગર્લફ્રેન્ડ ત્રિશા પણ આવી હતી. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ત્રિશા અને વિજયને લઈ રાજકારણ શરુ થયું હતુ.

ઈન્ટરનેટ પર તમિલ જ્યોતિષી વેણુ સ્વામીની એક ભવિષ્યવાણીએ ધમાલ મચાવી છે. તેમણે ત્રિશા અને વિજયના સંબંધો પર ખુલ્લીને વાત કરી છે.તેમજ આગળનું ભવિષ્ય પણ બતાવ્યું છે.

જ્યોતિષીએ વેણુ સ્વામીએ દાવો કર્યો કે, વિજયની કુંડળી અભિનેત્રી ત્રિશા કૃષ્ણના ગૃહના પ્રભાવો સાથે જોડાયેલી છે. તેમણે એ પણ કહ્યું કે, ત્રિશા વિજયના જીવનનો ભાગ ન હોત તો તેની રાજકારણની સફળતા અલગ જ હોત.

જ્યોતિષીએ જણાવ્યું કે, વિજય ચૂંટણીમાં મોટી બહુમતી સાથે જીત્યો છે પરંતુ તેનો તમામ શ્રેય તૃષાની કુંડળીને જાય છે. કારણ કે, તેના ગ્રહનો પ્રભાવ પડ્યો છે. આજે તે સીએમ પદ પર છે.

જ્યોતિષીએ આગાહી કરી હતી કે વિજય મુખ્યમંત્રી બન્યા છતાં, તેમની સરકાર લાંબો સમય ટકશે નહીં. તેમણે કહ્યું કે તીવ્ર રાજકીય અસ્થિરતાને કારણે, તમિલનાડુ છ મહિનાથી એક વર્ષમાં બીજી ચૂંટણી થઈ શકે છે.

જ્યોતિષ વેણુ સ્વામી વિજય અને ત્રિશાના સંબંધને જ્યોતિષશાસ્ત્રમાં "એકનાડી યોગ" તરીકે વર્ણવે છે, જે અપાર સફળતા તેમજ અચાનક, મહત્વપૂર્ણ સમસ્યાઓ લાવી શકે છે. વિજય અને ત્રિશાના સંબંધનું આ કારણ હોઈ શકે છે. (All photo : PTI)
Published On - 11:34 am, Mon, 11 May 26