
આ લાભ કાળા મરીમાં રહેલા પાઇપરિન નામના તત્વના કારણે મળે છે. તેથી, જો તમે વારંવાર ભૂલી જાવો છો કે તમારું ધ્યાન ભટકતું જાય છે, તો કાળી મરી તમારા માટે લાભદાયક બની શકે છે. (Credits: - Canva)

આજકાલ સતત તણાવ, વધતું પ્રદૂષણ, જંક ફૂડ અને વધુ સ્ક્રીન ટાઇમના કારણે મગજ ઉપર નકારાત્મક અસર થાય છે અને તે થાક અનુભવતું થાય છે. આવી પરિસ્થિતિમાં કાળી મરી ઉપયોગી સાબિત થાય છે, કારણ કે તે મગજની કોષોને નુકસાનથી બચાવવાનું કામ કરે છે અને તેમને તંદુરસ્ત રાખવામાં સહાયરૂપ બને છે જાણે તે મગજ માટે એક રક્ષણકર્તા હોય. (Credits: - Canva)

જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ યાદશક્તિ ધીરે ધીરે કમજોર થતી જાય છે. જો તમે દૈનિક આહારમાં કાળી મરીનો સમાવેશ કરો, તો તેમાં રહેલું પાઇપરિન નામનું તત્વ વૃદ્ધાવસ્થામાં મગજને આવતી મુશ્કેલીઓ, ખાસ કરીને યાદશક્તિ ઘટતી હોવાની પ્રક્રિયાને ધીમી પાડવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે કાળા મરી કોઇ ચમત્કારી દવા નથી, પરંતુ તે મગજને સક્રિય અને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. તેને કારણે અલ્ઝાઇમર જેવા ન્યુરોડિજનરેટિવ રોગોનો જોખમ ઘણું ઓછું થઈ શકે છે. (Credits: - Canva)

( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)