
આ તબક્કે સાઉથ એશિયન બિઝનેસ નેટવર્ક સબાનના વાઇસ ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારમાં હિન્દુઓનું આસ્થા કેન્દ્ર એવું ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. 2014 પછી મોદીએ ગરીબી હટાવવાનું કામ કર્યું હતું જેમાં પણ નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે.સમગ્ર વિશ્વમાં ભારતીયોનું સ્વાભિમાન વધાર્યું છે. ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના જેવું સંકટ આવ્યું ત્યારે દુનિયા વિચારતી હતી કે ભારત બરબાદ થઈ જશે અને દુનિયા પણ બરબાદ થઈ જશે. આ કટોકટીમાં મોદી સરકારે હિંમતભેર સામનો કર્યો હતી.

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી વેસ્ટ ઝોનમાં કો. ઓર્ડીનેટર પી.કે.નાયકએ જણાવ્યું હતું કે ભાજપ સરકારનો ત્રીજો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયોનો મોદીયુગ બની રહેશે. મોદી સરકારે પ્રમાણિકતાથી કામ કર્યું છે, જેથી ભારત ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. જેથી ભાજપને મત આપી વિજયી બનાવવા અને ભારતના સર્વે નાગરિકોને અંહી વસતા ભારતીયોને તેમના મિત્ર, સ્નેહી અને કુટુંબીજનોને આ વાત પહોચાડવા અપીલ કરી છે