
ચોમાસાની વાત આવે તો ગરવો ગિરનાર કેમ ભૂલાય,ગિરનાર ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસીઓ માટે પ્રસિદ્ધ સ્થળ માનવામાં આવે છે.આ સ્થળનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે,રનાર ટેકરીઓના સૌથી ઊંચા શિખર પરથી આસપાસના વિસ્તારનો અદ્ભુત નજારો જોઈ શકાય છે.ચોમાસા દરમિયાન આ ટેકરીઓની સુંદરતા સ્વર્ગ બની જાય છે. જ્યારે વરસાદ દરમિયાન પર્વતો પરથી પાણી પડે છે, ત્યારે આ નજારો અદ્ભુત લાગે છે.

વિલ્સન હિલ્સ સુંદરતાની સાથે ગુજરાતનું બેસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે.કેટલાક લોકો ગ્રુપમાં વિલ્સન હિલ્સ માટે ચોમાસામાં ટ્રેકિંગનો પ્લાન બનાવે છે. ચોમાસામાં અહી ચારે બાજુ તમને હરિયાળી જોવા મળે છે.વિલ્સન હિલ્સ આમ તો શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. વિલ્સન હિલ્સ ધરમપુર નજીક આવેલ છે.

પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 160 કીમી દુર આવેલું આ એક સુંદર સ્થળ છે.અહીં તમે ચોમાસા દરમિયાન લીલાછમ વૃક્ષો અને ધોધનો આનંદ માણી શકો છો.

ગુજરાતમાં બીજી અનેક અદ્દભૂત સ્થળો આવેલાછે. જ્યાં તમે ચોમાસામાં ફરવા માટે પ્લાન બનાવી શકો છો.તમે પોલોફોરેસ્ટ, નળસરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોરબંદર, સરદાર સરોવર ડેમ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.