
જ્યોતિષમાં રત્નો ગ્રહોને મજબૂત બનાવવા માટે પહેરવામાં આવે છે અને ઘણા રત્નો સોનામાં ધારણ કરવાનું શુભ માનવામાં આવે છે. પરંતુ હાલ સોનાના વધતા ભાવ અને સરકારની અપીલને કારણે લોકો વિચારતા થયા છે કે સોનાની જગ્યાએ બીજી કઈ ધાતુમાં રત્ન પહેરી શકાય. ચાલો જાણીએ કે કયા રત્ન માટે કઈ ધાતુ યોગ્ય ગણાય છે.

જ્યોતિષ પ્રમાણે નવ ગ્રહો માટે અલગ-અલગ રત્નો ધારણ કરવામાં આવે છે, જેમ કે સૂર્ય માટે માણેક, ચંદ્ર માટે મોતી અને ગુરુ માટે પીળો પોખરાજ. સામાન્ય રીતે કેટલાક રત્નો સોનામાં પહેરવા શુભ માનવામાં આવે છે, પરંતુ જો સોનું શક્ય ન હોય તો બીજી ધાતુમાં પહેરવાથી પણ સારા પરિણામ મળી શકે છે. ( Credits: AI Generated )

જ્યોતિષ મુજબ જો સોનું ન હોય તો રત્નો તાંબા, પંચધાતુ અથવા અષ્ટધાતુમાં પણ પહેરી શકાય છે. પંચધાતુ અને અષ્ટધાતુ શુભતા અને ગ્રહોના સંતુલન માટે સારી માનવામાં આવે છે, જ્યારે તાંબુ સૂર્ય સાથે જોડાયેલું છે. પોખરાજ અને માણેક સિવાય મોટા ભાગના રત્નો ચાંદીમાં પણ ધારણ કરી શકાય છે. ( Credits: AI Generated )

જ્યોતિષ પ્રમાણે ગુરુ ગ્રહ મજબૂત કરવા માટે પોખરાજ પહેરવામાં આવે છે. તેને સોનામાં ધારણ કરવું શુભ માનવામાં આવે છે, પરંતુ સોનું ન હોય તો પંચધાતુમાં પણ પહેરી શકાય છે. એવું માનવામાં આવે છે કે તે ભાગ્ય, પૈસા અને વૈવાહિક જીવન સંબંધિત મુશ્કેલીઓ ઘટાડવામાં મદદરૂપ બને છે. ( Credits: AI Generated )

જ્યોતિષ મુજબ સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે માણેક પહેરવામાં આવે છે અને તેને સોનામાં ધારણ કરવું શુભ ગણાય છે. પરંતુ સોનું શક્ય ન હોય તો તાંબામાં પણ માણેક પહેરી શકાય છે, કારણ કે તાંબુ સૂર્ય સાથે જોડાયેલું માનવામાં આવે છે. ઉપરાંત પંચધાતુ અને અષ્ટધાતુમાં રત્ન પહેરવાથી પણ સારા પરિણામ મળી શકે છે. ( Credits: AI Generated )

કેટલાક માન્યતાઓ અનુસાર વૃષભ, મિથુન અને મકર જેવી રાશિના લોકો માટે સોનું પહેરવું યોગ્ય માનવામાં આવતું નથી. તેથી તેમના માટે ચાંદી અથવા બીજી ધાતુના આભૂષણ વધુ સારું વિકલ્પ ગણાય છે. ( નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી ) ( Credits: AI Generated )