
ઊંઘ અને મૂડમાં સુધારો: જ્યારે ઉઘાડા પગે ચાલવાથી શરીર પૃથ્વીના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાંથી મુક્ત થતી ઉર્જા (પૃથ્વીના કુદરતી ઇલેક્ટ્રોન) મેલાટોનિન (ઊંઘ નિયંત્રિત કરતું હોર્મોન) અને સેરોટોનિન (મૂડ સ્થિર કરતું હોર્મોન) નું સંતુલન જાળવી રાખે છે. જો તમે દરરોજ 30 મિનિટ ખુલ્લા પગે ચાલો છો તો તે મનને શાંત રાખે છે, જેનાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને મૂડ પણ સારો રહે છે.

ચિંતા અને તણાવ ઘટાડે છે: દરરોજ ખુલ્લા પગે ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. જ્યારે તમે ખુલ્લા પગે ચાલો છો ત્યારે શરીરમાં સંચિત ઇલેક્ટ્રોમેગ્નેટિક ચાર્જ ડિસ્ચાર્જ થાય છે અને આ કોર્ટિસોલનું લેવલ (સ્ટ્રેસ હોર્મોન) ઘટાડે છે.

ફ્લેક્સિબિલિટી વધે છે: પગરખાં પહેરવાથી હંમેશા આપણા પગ એ જ રીતે હલનચલન કરે છે, પરંતુ ખુલ્લા પગે ચાલવાથી પગના સ્નાયુઓ, અસ્થિબંધન અને પગની ઘૂંટીઓની ગતિ સુધરે છે. આ શરીરની ફ્લેક્સિબિલિટી વધારે છે અને સાંધાના દુખાવા, જડતા અને સ્નાયુઓની જકડાઈથી રાહત મળે છે.

રક્ત પરિભ્રમણ અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે: જ્યારે પગની ત્વચા જમીન સાથે સીધી સંપર્કમાં આવે છે, ત્યારે રક્ત પ્રવાહ સુધરે છે. આનાથી હૃદયને પંપ કરવાનું સરળ બને છે. હાઈ અથવા લો બ્લડ પ્રેશરની સમસ્યાઓ સંતુલિત થાય છે અને પગની નસોમાં ઓક્સિજનનો પ્રવાહ સુધરે છે.