
આ ડાયપર બાળકના ડાયપરની અંદર હવાને પ્રવેશતા પણ અટકાવે છે, જેના કારણે ડાયપરમાં બેક્ટેરિયા અને કીટાણુઓ વધવા લાગે છે અને બાળકને ચેપનો ખતરો રહે છે. તેથી બાળકના ડાયપરને વારંવાર બદલતા રહો.

રેસિઝ અને ફોલ્લિઓ થાય છે : બાળકોની સ્કીન ખૂબ જ સંવેદનશીલ હોય છે. લાંબા સમય સુધી ભીના ગંદા ડાયપરમાં રહેવાથી ડાયપરમાં બેક્ટેરિયા વધે છે. જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ અને રેસિઝ થઈ શકે છે. આવી સ્થિતિમાં બાળકને ફોલ્લીઓથી બચાવવા માટે સમયાંતરે બાળકનું ડાયપર બદલતા રહો અને તેની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો.

24 કલાક સુધી ડાયપરમાં ન રાખો : ડો.સંજય નિરંજનના કહેવા અનુસાર ડાયપરનો ઉપયોગ મુખ્યત્વે નાના બાળકો માટે યોગ્ય છે. કારણ કે નવજાત બાળકો દિવસમાં ઘણી વખત પોટી અને પેશાબ પસાર કરે છે. જો ડાયપર ભીનું થઈ જાય અથવા પોટી કરી હોય તો તેને તરત જ બદલવું જોઈએ. બાળક બે કે ત્રણ વાર પેશાબ ન કરે ત્યાં સુધી રાહ ન જુઓ.

પોટી પછી તરત જ ડાયપર બદલો અને બાળકના મળ અને પેશાબના વિસ્તારને ભીના કોટનથી આગળથ-પાછળ સુધી સાફ કરો. ડાયપર પહેરાવતાં પહેલા થોડું બેબી ઓઈલ અથવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. બાળકને 24 કલાક સુધી ડાયપર પહેરાવીને રાખશો નહીં.