
સવાલ - આપ સરકાર દરમિયાન દિલ્હી સરકારે કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહના બચાવમાં કોર્ટમાં જે કંઈ કહ્યું હતું, શું દિલ્હી સરકાર હવે તે નિવેદનો પાછા લેશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં આપની સરકાર દરમિયાન આપના નેતાઓના બચાવમાં જે નિવેદનો આપ્યા હતા, એ પાછા લેશે કે કેમ ? કારણ કે દિલ્હીમાં હવે સરકાર બદલાઈ જશે, જેથી આ લોકોને બચાવવા હવે મુશ્કેલ છે.

સવાલ - શું દિલ્હી સરકાર હવે કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ વગેરે પર ભ્રષ્ટાચારના કેસ દાખલ કરશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં હવે સરકાર બદલવા જઈ રહી છે, ત્યારે દિલ્હી સરકારના પૂર્વ મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના કેસ દાખલ થઈ શકે છે.