Ambani Wedding : અનંત અને રાધિકા લગ્નના સાત નહીં માત્ર ચાર જ ફેરા ફરશે, જાણો શું છે કારણ

|

Jul 11, 2024 | 1:57 PM

Ambani Wedding : તમને જાણીને નવાઇ લાગશે ફિલ્મો અને સિરિયલોમાં તો લગ્નના સાત ફેરા ફરવાની વાત હોય છે, પણ અનંત અને રાધિકા લગ્નના ચાર ફેરા કેમ લેવાના છે ? તો તેના પાછળ એક મોટુ કારણ રહેલુ છે

1 / 6
મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો દીકરો અનંત 12 જુલાઈના રોજ રાધિકા સાથે લગ્નના તાંતણે બંધાવાનો છે. લગ્નની તમામ વિધિઓ થોડા દિવસ પહેલાથી જ શરુ થઇ ગઇ છે. 12 જુલાઇના રોજ અનંત-રાધિકા લગ્નના ચાર ફેરા ફરીને જીવનભર એકબીજાનો સાથ નિભાવવાનું વચન લેશે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો દીકરો અનંત 12 જુલાઈના રોજ રાધિકા સાથે લગ્નના તાંતણે બંધાવાનો છે. લગ્નની તમામ વિધિઓ થોડા દિવસ પહેલાથી જ શરુ થઇ ગઇ છે. 12 જુલાઇના રોજ અનંત-રાધિકા લગ્નના ચાર ફેરા ફરીને જીવનભર એકબીજાનો સાથ નિભાવવાનું વચન લેશે.

2 / 6
તમને જાણીને નવાઇ લાગશે ફિલ્મો અને સિરિયલોમાં તો લગ્નના સાત ફેરા ફરવાની વાત હોય છે, પણ અનંત અને રાધિકા લગ્નના ચાર ફેરા કેમ લેવાના છે ? તો તેના પાછળ એક મોટુ કારણ રહેલુ છે અને તે છે ગુજરાતી પરંપરા. ગુજરાતી પરંપરા અનુસાર વર-વધુ લગ્નના ચાર ફેરા લઇને એકબીજાના જીવનસાથી બને છે. જે પછી તે સપ્તપદીના સાત વચન લે છે.

તમને જાણીને નવાઇ લાગશે ફિલ્મો અને સિરિયલોમાં તો લગ્નના સાત ફેરા ફરવાની વાત હોય છે, પણ અનંત અને રાધિકા લગ્નના ચાર ફેરા કેમ લેવાના છે ? તો તેના પાછળ એક મોટુ કારણ રહેલુ છે અને તે છે ગુજરાતી પરંપરા. ગુજરાતી પરંપરા અનુસાર વર-વધુ લગ્નના ચાર ફેરા લઇને એકબીજાના જીવનસાથી બને છે. જે પછી તે સપ્તપદીના સાત વચન લે છે.

3 / 6
હિંદુ ધર્મની વૈદિક વિવાહ પદ્ધતિમાં ફક્ત ચાર જ ફેરા ફરવાના હોય છે. હિંદુ લગ્નવિધિ આજે પણ એ જ વૈદિકમંત્રો પર થાય છે જેમાં ચાર ફેરા આવે છે અને સાત સપ્તપદીના વચન લેવાના હોય છે.સપ્તપદીની વિધિ જ્યાં સૂધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કન્યા પરણિત નહી પરંતુ કુવાંરી જ ગણાય છે. સપ્તપદીના સાત વચનો હોય છે તેના દ્વારા વર કન્યા અસરપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો આપે છે.

હિંદુ ધર્મની વૈદિક વિવાહ પદ્ધતિમાં ફક્ત ચાર જ ફેરા ફરવાના હોય છે. હિંદુ લગ્નવિધિ આજે પણ એ જ વૈદિકમંત્રો પર થાય છે જેમાં ચાર ફેરા આવે છે અને સાત સપ્તપદીના વચન લેવાના હોય છે.સપ્તપદીની વિધિ જ્યાં સૂધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કન્યા પરણિત નહી પરંતુ કુવાંરી જ ગણાય છે. સપ્તપદીના સાત વચનો હોય છે તેના દ્વારા વર કન્યા અસરપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો આપે છે.

4 / 6
લગ્નના ચાર ફેરા દ્વારા ઋષીમુનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના ચાર ફેરા ધર્મ, અર્થ,કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના ચાર ફૈરા પૈકી ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે.

લગ્નના ચાર ફેરા દ્વારા ઋષીમુનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના ચાર ફેરા ધર્મ, અર્થ,કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના ચાર ફૈરા પૈકી ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે.

5 / 6
અંબાણી પરિવાર મૂળ ગુજરાતી છે. તેમના પરિવારમાં જેટલા લગ્ન થાય છે અથવા તો જે પણ પ્રસંગો આવે છે તે તમામ ગુજરાતી પરંપરા મુજબ જ કરવામાં આવે છે. અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દિકરા આકાશ અને દીકરી ઇશાના લગ્ન પણ ગુજરાતી પરંપરા અનુસાર ચાર ફેરા ફરાવીને કરવામાં આવ્યા છે.

અંબાણી પરિવાર મૂળ ગુજરાતી છે. તેમના પરિવારમાં જેટલા લગ્ન થાય છે અથવા તો જે પણ પ્રસંગો આવે છે તે તમામ ગુજરાતી પરંપરા મુજબ જ કરવામાં આવે છે. અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દિકરા આકાશ અને દીકરી ઇશાના લગ્ન પણ ગુજરાતી પરંપરા અનુસાર ચાર ફેરા ફરાવીને કરવામાં આવ્યા છે.

6 / 6
તો અનંત અને રાધિકા પણ આ પરંપરા અનુસાર જ લગ્નના ચાર ફેરા ફરીને એકબીજાના થશે. લગ્નની તમામ વિધિ પણ ગુજરાતી પરંપરા અનુસાર જ યોજવામાં આવી છે.

તો અનંત અને રાધિકા પણ આ પરંપરા અનુસાર જ લગ્નના ચાર ફેરા ફરીને એકબીજાના થશે. લગ્નની તમામ વિધિ પણ ગુજરાતી પરંપરા અનુસાર જ યોજવામાં આવી છે.

Next Photo Gallery