
ભવ્ય ભારતીય લગ્ન સમારોહ મુંબઈના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં સ્થિત બાંદ્રા કુર્લા સેન્ટર (BKC)માં આવેલા Jio વર્લ્ડ સેન્ટરમાં થશે. સ્થળની નજીકના રસ્તાઓ 12-15 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યાથી મધ્યરાત્રિ દરમિયાન ઈવેન્ટમાં પહોચનારા મહેમાનોની ગાડીઓ માટે ખુલ્લા રહેશે. મુંબઈમાં ટ્રાફિક પોલીસે ત્રણ દિવસ માટે રસ્તા પર પ્રતિબંધો મુક્યો છે.

લગ્ન સમારોહ શુક્રવાર, 12 જુલાઈના રોજ થશે જ્યારે આગામી બે દિવસ આશીર્વાદ (શુભ આશીર્વાદ) અને રિસેપ્શન માટે રાખવામાં આવ્યા છે. ડેકોરેટિવ ઝુમ્મર અને લાલ ફૂલોથી સજાવવામાં આવતા સ્થળની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પહેલેથી જ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

લગ્નમાં મહેમાનો માટે વેડિંગ વેન્યૂ પર 25થી વધારે વેનિટી વેન હાજર રહેશે આ સાથે મેન્યૂમાં 2.5 હજારથી વધુ ડિશીસ આ સાથે મહેમાનોને રિટર્ન ગીફ્ટમાં કરોડોની ઘડિયાળ ભેટમાં મળશે આ સાથે મહિલા મહેમાનોને રિટર્ન ગીફ્ટમાં બનારસી ફેબ્રિકની બેગ અને રિયલ જરીથી બનેલી સાડી ગિફ્ટમાં આપવામાં આવશે.
Published On - 11:57 am, Thu, 11 July 24