
અજમો મેટાબોલિઝમ વધારવાની સાથે પાચનમાં સુધારો કરે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. અજમો અને પાણીનું મિશ્રણ ગેસની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બીજ પાચન ઉત્સેચકોમાં વધારો કરે છે.

અજમાના બીજમાં હાજર આલ્કલાઇન ગુણધર્મો પેટમાં વધારાના એસિડને નિષ્ક્રિય કરવામાં મદદ કરી શકે છે, જેનાથી એસિડિટી અને હાર્ટબર્નથી રાહત મળે છે.

અજમામાં એન્ટી ફંગલ ગુણો જોવા મળે છે.જે ત્વચા માટે ફાયદાકારક છે.તેનો ઉપયોગ ખીલ,ખરજવું અને ફંગલ ચેપ જેવી ત્વચાની સમસ્યાઓની સારવાર માટે થઈ શકે છે.

અજમાના બીજ સંધિવા અને સાંધાના દુખાવા જેવા રોગોમાં મદદ કરે છે.અજમામાં હાજર ગામા-ટેર્પેન્સ પેપ્ટીક અલ્સર,ડાયાબિટીસ,બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે.

અજમામાં પોટેશિયમ, ફોલિક એસિડ અને ફાઈબર મળી આવે છે, જે ન માત્ર હૃદયની તંદુરસ્તી સુધારે છે પરંતુ હૃદય સંબંધિત સમસ્યાઓને પણ ઘટાડે છે. ફોલિક એસિડ એક પ્રકારનું વિટામિન બી છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે, અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદરૂપ છે.

ઠંડીની ઋતુમાં અજમાનું સેવન તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે (ajwain for immunity) તેમાં બે સક્રિય સંયોજનો છે,થાઇમોલ અને કાર્વાક્રોલ જે બેક્ટેરિયા અને ફૂગના વિકાસને અટકાવે છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.
Published On - 7:43 pm, Wed, 11 December 24