
ત્યાર બાદ આ જ ફ્લાઇટ કેશોદથી બપોરે 1.15 કલાકે ઉપડશે અને બપોરે 2.30 કલાકે અમદાવાદ પરત આવશે. આવી સ્થિતિમાં તે પ્રવાસીઓને પણ ફાયદો થશે જેઓ ઓછા સમયમાં સોમનાથની યાત્રા કરીને પરત ફરવા માગે છે.

PM નરેન્દ્ર મોદી પોતે 'શ્રી સોમનાથ ટ્રસ્ટ'ના અધ્યક્ષ છે જે સોમનાથ મંદિરનું સંચાલન કરે છે. તેમની અધ્યક્ષતામાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં મુસાફરોને સુવિધા પુરી પાડવાની આ પહેલ અંગેનો નિર્ણય લેવાયો હતો. જૂનાગઢના કેશોદ ખાતે બનેલ એરપોર્ટ પડોશી જિલ્લા ગીર સોમનાથના પ્રભાસ પાટણ શહેરમાં સ્થિત સોમનાથ મંદિરથી લગભગ 55 કિલોમીટર દૂર છે. અમદાવાદથી સોમનાથ મંદિરનું અંતર લગભગ 400 કિલોમીટર છે.

જ્યારે ગુજરાતના સ્થાનિક રહેવાસીઓને આ હવાઈ મુસાફરીનો લાભ મળશે, ત્યારે દેશના અન્ય ભાગોમાંથી દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ અમદાવાદ પહોંચ્યા પછી તેમની યાત્રાનું આયોજન કરી શકશે અને અમદાવાદથી સોમનાથની યાત્રા ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ કરી શકશે. અરબી સમુદ્રના કિનારે બનેલું સોમનાથ મંદિર દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.
Published On - 10:50 pm, Tue, 29 October 24