
અંગ્રેજોના આગમન પહેલાં કિલ્લા પર છેલ્લે મરાઠાઓનો કબજો હતો. મુઘલ કાળ દરમિયાન તેના ઐતિહાસિક મહત્વને કારણે 1983માં આગ્રા કિલ્લાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યો. આ કિલ્લો માત્ર એક ગઢ નહીં પરંતુ ઊંચી અને મજબૂત દિવાલોથી સુરક્ષિત સંપૂર્ણ શહેર જેવી રચના ધરાવે છે., જેને શાહજહાંના સમયમાં વધુ સુશોભિત કરવામાં આવ્યું હતું. (Credits: - Wikipedia)

મહમૂદ ગઝનીના સમય પહેલાં આગ્રા કિલ્લાનો પ્રાચીન ઇતિહાસ સ્પષ્ટ નથી. 15મી સદીમાં ચૌહાણ રાજપૂતોના કબજામાં રહેલો આ કિલ્લો, બાદમાં સિકંદર ખાન લોદીએ આગ્રાને રાજધાની બનાવતા વધુ વિકસાવ્યો. 1526ના પાણીપત યુદ્ધ પછી મુઘલોએ કિલ્લો સંભાળી લીધો અને 1530માં હુમાયુનો અહીં રાજ્યાભિષેક થયો. અકબરના શાસનમાં કિલ્લાને વર્તમાન સ્વરૂપ મળ્યું અને એક સમયગાળા માટે તે ભરતપુરના જાટોના અધિકારમાં પણ રહ્યો. (Credits: - Wikipedia)

આગ્રા કિલ્લો લગભગ 13 વર્ષ સુધી ભરતપુરના જાટ શાસકોના નિયંત્રણમાં રહ્યો, જેમાં ‘રતન સિંહ કી હવેલી’નું નિર્માણ થયું. ત્યારબાદ 18મી સદીની શરૂઆતમાં મરાઠાઓએ કિલ્લો કબજે કર્યો, જોકે સમયાંતરે તેનો કબજો બદલાતો રહ્યો. 1785માં મહાદજી શિંદેએ ફરીથી કિલ્લો સંભાળ્યો, પરંતુ 1803ના બીજા એંગ્લો-મરાઠા યુદ્ધમાં તે અંગ્રેજોના હાથમાં ગયો. 1857ના સ્વાતંત્ર્ય સંઘર્ષ દરમિયાન કિલ્લો મહત્વપૂર્ણ યુદ્ધસ્થળ બન્યો, જેનાથી ભારતમાં બ્રિટિશ શાસનનો નવો યુગ શરૂ થયો. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)