
વિદેશ યાત્રા પાછળ ખર્ચ વધ્યો છે. વર્ષ 2023-24માં, ભારતીયોએ દર મહિને સરેરાશ 1.42 બિલિયન ડૉલર એટલેકે રૂપિયા 12,500 કરોડ વિદેશમાં ખર્ચ્યા જે લગભગ એક વર્ષ પહેલાં 400 મિલિયન ડૉલર અનુસાર રૂપિયા 3,300 કરોડ હતા.

આનું કારણ દેશના મધ્યમ વર્ગના પરિવારોની આવકમાં વધારો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોવિડ -19 રોગચાળા પછી મુસાફરી પ્રતિબંધો હટાવ્યા પછી મુસાફરી માટે બહાર જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.

વિદેશમાં પણ રોકાણ વધ્યું છે. ભારતીય રહેવાસીઓ પણ વિદેશોમાં વધુ રોકાણ કરી રહ્યા છે. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે 2023-24માં ભારતીયોએ વિદેશી ઈક્વિટી અને ડેટમાં દર મહિને સરેરાશ 100 મિલિયન ડોલર નું રોકાણ કર્યું હતું જ્યારે 2022-23ના સંપૂર્ણ વર્ષમાં તે 1.25 બિલિયન ડોલર હતું.