Health And Fitness : સ્પીડમાં ચાલવાની આદત છે તમને? તો આ મીહિતી તમારા માટે છે

ચાલવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? મોટાભાગના લોકો આ જાણે છે. તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં ચાલવાની ગતિ અને સ્વાસ્થ્યને જોડીને, એવું તારણ કાઢવામાં આવ્યું છે કે જે લોકો ઝડપથી ચાલે છે તેમને ઘણી બીમારીઓનું જોખમ ઓછું હોય છે અને તે ખાસ કરીને સ્થૂળતાથી પીડિત લોકો માટે ફાયદાકારક છે.

| Updated on: Dec 23, 2024 | 9:31 AM
4 / 6
ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઓછું : સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં ચાલવાની ગતિ અને સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધ પર માહિતી એકત્રિત કરવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઝડપથી ચાલે છે તેમને ડાયાબિટીસનું જોખમ 30 ટકા ઓછું હોય છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે ઝડપી ચાલવાથી હાઈ બીપી અને ડિસ્લિપિડેમિયા એટલે કે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઓછું થાય છે.

ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઓછું : સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં ચાલવાની ગતિ અને સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધ પર માહિતી એકત્રિત કરવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઝડપથી ચાલે છે તેમને ડાયાબિટીસનું જોખમ 30 ટકા ઓછું હોય છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે ઝડપી ચાલવાથી હાઈ બીપી અને ડિસ્લિપિડેમિયા એટલે કે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઓછું થાય છે.

5 / 6
કાર્ડિયોરેસ્પિરેટરી ફિટનેસ સારી રહે છે : ઝડપી ગતિએ ચાલવાથી કાર્ડિયોરેસ્પિરેટરી ફિટનેસ (શારીરિક પ્રવૃત્તિ દરમિયાન સ્નાયુઓના માઈટોકોન્ડ્રિયાને ઓક્સિજન પહોંચાડવાની શ્વસનતંત્રની ક્ષમતા) સુધરે છે. જે ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડે છે.

કાર્ડિયોરેસ્પિરેટરી ફિટનેસ સારી રહે છે : ઝડપી ગતિએ ચાલવાથી કાર્ડિયોરેસ્પિરેટરી ફિટનેસ (શારીરિક પ્રવૃત્તિ દરમિયાન સ્નાયુઓના માઈટોકોન્ડ્રિયાને ઓક્સિજન પહોંચાડવાની શ્વસનતંત્રની ક્ષમતા) સુધરે છે. જે ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડે છે.

6 / 6
સંશોધકો શું કહે છે? : ડોશિશા યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ હેલ્થ એન્ડ સ્પોર્ટ્સ સાયન્સના પ્રોફેસર કોજીરો ઈશી (જેઓ મુખ્ય સંશોધક પણ છે) કહે છે. “આ અભ્યાસ સ્પષ્ટ કરે છે કે સ્થૂળતાથી પીડિત લોકોમાં મેટાબોલિક રોગોનું જોખમ વધારે હોય છે. જે લોકો ઝડપી ગતિએ ચાલે છે તેઓ હાઈ બીપી, ડાયાબિટીસ, ડિસ્લિપિડેમિયા એટલે કે લોહીમાં ખરાબ ચરબીનું લેવલ ઘટાડી શકે છે અને તે ખાસ કરીને સ્થૂળતાથી પીડિત લોકો માટે ફાયદાકારક છે.

સંશોધકો શું કહે છે? : ડોશિશા યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ હેલ્થ એન્ડ સ્પોર્ટ્સ સાયન્સના પ્રોફેસર કોજીરો ઈશી (જેઓ મુખ્ય સંશોધક પણ છે) કહે છે. “આ અભ્યાસ સ્પષ્ટ કરે છે કે સ્થૂળતાથી પીડિત લોકોમાં મેટાબોલિક રોગોનું જોખમ વધારે હોય છે. જે લોકો ઝડપી ગતિએ ચાલે છે તેઓ હાઈ બીપી, ડાયાબિટીસ, ડિસ્લિપિડેમિયા એટલે કે લોહીમાં ખરાબ ચરબીનું લેવલ ઘટાડી શકે છે અને તે ખાસ કરીને સ્થૂળતાથી પીડિત લોકો માટે ફાયદાકારક છે.

Published On - 9:30 am, Mon, 23 December 24