
કપૂર અને નાળિયેર તેલ: ક્યારેક એલર્જીને કારણે ત્વચામાં ખૂબ ખંજવાળ આવે છે. જો આવું થાય તો ત્વચાને વારંવાર હાથ વડે સ્પર્શ ન કરો અને કપૂર અને નારિયેળ તેલનો ઉપયોગ કરો. કપૂરને દળીને તેમાં નારિયેળનું તેલ મિક્સ કરો અને પછી તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. દિવસમાં ઓછામાં ઓછું બે વાર આમ કરવાથી તમારી એલર્જીની સમસ્યા દૂર થઈ શકે છે.

ફટકડી: એલર્જિ વાળી જગ્યાને ફટકડીના પાણીથી ધોઈ લો. ત્યાર બાદ કપૂર અને સરસવનું તેલ મિક્સ કરીને લગાવો. જો તમે ઈચ્છો તો તેના બદલે ફટકડી અને નારિયેળ તેલ પણ લગાવી શકો છો.

લીમડાના પાન: એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર લીમડો એલર્જીની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. આ માટે લીમડાના પાનને રાત્રે પાણીમાં પલાળી રાખો અને તેની પેસ્ટ બનાવીને સવારે લગાવો. તેનાથી તમારી સ્કિન એલર્જી દૂર થઈ શકે છે. આ સિવાય ઉનાળામાં એન્ટીબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો. તેનાથી એલર્જીની સમસ્યા નહીં થાય. તેમજ શક્ય હોય ત્યાં સુધી ખુલ્લી હવામાં રહો.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો