
વિશ્લેષકોએ Adani Wilmar પર સ્ટ્રોંગ બાય રેટિંગ આપ્યું છે. મળતી માહિતી મુજબ કંપનીએ તેના છેલ્લા ત્રિમાસિક ગાળામાં રૂ. 311.02 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ત્યારે હવે શેરમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

અદાણી વિલ્મરના લિસ્ટેડ સ્પર્ધકોમાં ટાટા કન્ઝ્યુમર , પતંજલિ ફૂડ્સ, વગેરેનો સમાવેશ થાય છે. અદાણી વિલ્મર 12.13% પબ્લિક હિસ્સો ધરાવે છે. અદાણી વિલ્મરમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 0.04% હતો. છેલ્લા ક્વાર્ટરથી MF શેર વધ્યો છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ અદાણી વિલ્મરમાં FIIનો હિસ્સો 0.93% હતો. છેલ્લા ક્વાર્ટરથી FIIનો હિસ્સો વધ્યો છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
Published On - 3:42 pm, Mon, 23 December 24